જે બાળકોને રસી લગાવાઈ ચૂકી છે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ
ગુરુવારે 2થી 6 વર્ષના બાળકોને રસીના ડોઝ અપાશે
એમ્સમાં બાળકો પર કોરોના રસીના ટ્રાયલમાં ગુરુવારે 2થી 6 વર્ષના બાળકોને રસીના ડોઝ આપવા આવશે. આ પહેલા 12થી 18 વર્ષના અને 6થી 12 વર્ષના બાળકોને કોવાક્સિનના ડોઝ અપાયા છે અને આ બંને ઉંમરના ટ્રાયલ પૂરા થઈ ચૂક્યા છે.
આ 2 શ્રેણીના બાળકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા
હોસ્પિટલમાં પ્રશાસનના જણાવ્યાનુસાર 2 શ્રેણીના બાળકોને રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ બાદ 2થી 6 વર્ષની વચ્ચેના બાળકોને પરિક્ષણમાં સામેલ કરવામાં આવશે. જે બાળકોને રસી લગાવાઈ ચૂકી છે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ડોક્ટરની એક ટીમ સતત તેમના પર નજર રાખી રહી છે.
દિલ્હીમાં સોમવારે 89 નવા દર્દી મળ્યા છે અને 11 ના મોત થયા
ત્યારે વાત કરીએ તો દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર તો રાજધાનીમાં સોમવારે 89 નવા દર્દી મળ્યા છે અને 11 ના મોત થયા છે. આ વર્ષના એક દિવસના સૌથી ઓછા મામલા છે. આની પહેલા 16 ફેબ્રુઆરીમાં 94 સંક્રમિત મળ્યા હતા. તે બાદ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી હતી. કોરોનાના મામલામાં અછતની સાથે સંક્રમણ દર ઘટીને 0.16 રહી ગઈ છે. એટલે કે એક હજાર તપાસ પર એક સંક્રમિત મળ્યો છે.
સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 24, 925 મોત થયા
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર ગત 24 કલાકમાં 173 દર્દી સ્વસ્થ થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 14, 32, 381 થઈ ગઈ છે. જેમાંથી 14, 05 460 સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 24, 925 મોત થયા છે.
અહીં વસ્તીથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા
મૃત્યુદર 1.74 ટકા છે. હાલમાં કોરોનાના 1996 સક્રિય મામલા છે. જેમાંથી હોસ્પિટલોમાં 1258 લોકો દાખલ છે. કોવિડ કેર કેન્દ્રોમાં 77 અને કોવિડ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં 09 રોગી છે. હોમ આઈસોલેશનમાં 563 દર્દીની સારવાર ચાલી રહી છે. વિભાગ અનુસાર ગત 24 કલાકમાં 57, 128 ટેસ્ટ થયાજે રોજની સરખામણીએ લગભગ 20 હજાર ઓછા રહ્યા. અત્યાર સુધીમાં 2 કરોડ 8 લાખ નમૂનાની તપાસ થઈ ચૂકી છે. દિલ્હી એવું પહેલું રાજ્ય છે જ્યાં વસ્તીથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે.