ડબલ વેરિએન્ટને લઈને અનેક પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે
રસીથી લોકોમાં પેદા થનારા એન્ટીબોર્ડીઝ આ વાયરસની વિરુદ્ધ ઓછા અસરદાર
રિપોર્ટમાં જર્મનીના વૈજ્ઞાનિકોની એક ટીમના પરિણામનો ઉલ્લેખ
ડબલ વેરિએન્ટને લઈને અનેક પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે
સૌથી ઝડપથી ફેલાઈ રહેલા બી.1.617 વેરિએન્ટ (ડબલ વેરિએન્ટ)ને લઈને અનેક પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તેજીથી ફેલાઈ રહ્યો છે. બિમારીને ઘાતક બનાવી રહી છે. બહે સંસ્થાઓથી શરુઆતના સંકેતો મળી રહ્યા છે કે હાલની રસી સંક્રમણને રોકવામાં ઓછા અસરદાર છે. સાયન્સ જર્નલ નેચરે આ વેરિએન્ટને લઈને પ્રકાશિત રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
રસીથી લોકોમાં પેદા થનારા એન્ટીબોર્ડીઝ આ વાયરસની વિરુદ્ધ ઓછા અસરદાર
રિપોર્ટ અનુસાર યૂનિવર્સિટી ઓફ કેંબ્રિજના શોધકર્તા ડો. રવીન્દ્ર ગુપ્તાએ રસી લઈ ચૂકેલા લોકોના સીરમ પર અધ્યયન કર્યા બાદ આ પરિણામ શોધ્યુ છે કે રસીથી લોકોમાં પેદા થનારા એન્ટીબોર્ડીઝ આ વાયરસની વિરુદ્ધ ઓછા અસરદાર છે. તેમણે ફાયજરનો એક ડોઝ લઈ ચૂકેલા 9 લોકોના સીરમની તપાસ કરી અને જોયુ તે તેમનામાં બનેલી ન્યૂટ્રીલાઈજિંગ એન્ટીબોર્ડીઝ આ વેરિએન્ટની વિરુદ્ધ 80 ટકા ઓછી ક્ષમતા દર્શાવે છે.
રિપોર્ટમાં જર્મનીના વૈજ્ઞાનિકોની એક ટીમના પરિણામનો ઉલ્લેખ
રિપોર્ટમાં કહ્યુ છે કે દિલ્હીની હોસ્પિટલોમાં કોવિશીલ્ડના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોને ફરી સંક્રમણના મામલા સામેને પણ આને જોડીને જોઈ શકાય છે. રિપોર્ટમાં જર્મનીના વૈજ્ઞાનિકોની એક ટીમના પરિણામનો ઉલ્લેખ છે. જેમને પૂર્વમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂકેલા 15 લોકોની ન્યૂટ્રીલાઈજિંગ એન્ટીબોડીઝની તપાસ કરી અને તેમને ડબલ વેરિએન્ટની વિરુદ્ધ 50 ટકા ઓછા અસરકારક જોવા મળ્યા. ટીમે ફાયઝર રસીના બે ડોઝ લઈ ચૂકેલા લોકોની એન્ટીબોડીની તપાસ કરવામાં આવી અને તેમણે ડબલ વેરિએન્ટની વિરુદ્ધ 50 ટકા ઓછા પ્રભાવી જોવા મળ્યા. ટીમે ફાયઝરની રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોની એન્ટીબોર્ડીની તપાસ કરી તો તેમને ડબલ મ્યૂડેશનની વિરુદ્ધ 67 ટકા ઓછા અસરદાર જોવા મળ્યા.
પુણેના વૈજ્ઞાનિક ડો. પ્રજ્ઞા યાદવના અધ્યયનનો પણ ઉલ્લેખ કર્યો
રિપોર્ટમાં એનઆઈવી પુણેના વૈજ્ઞાનિક ડો. પ્રજ્ઞા યાદવના અધ્યયનનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં કોવૈક્સીનના નવા વેરિએન્ટ પર અધ્યયન કર્યુ છે. હકિકતમાં જીનોમ કન્સોર્ટિયમ અંતર્ગત કોવૈક્સીનની સાથે સાથે કોવિશીલ્ડની રસીની અસરકારકતાને લઈને અધ્યયન કરી રહ્યા છે. જો કે આ અઘ્યયનના શુરઆતના પરિણામોમાં કહેવામાં આવ્યુ છે કે રસી અને કોવિશીલ્ડ ડબલ વેરિએન્ટની વિરુદ્ધ કામ કરી રહી છે. પરંતુ પૂર્વના વેરિએન્ટની સરખામણીમાં ડબલ વેરિએન્ટની વિરુદ્ધ તેની અસર ઓછી છે.
નવા વેરિએન્ટ પર એસ્ટ્રાજેનિકાની રસી પણ પૂર્ણ રુપથી અસરદાર નથી
આ અધ્યયન હજું પ્રકાશિત નથી થયુ. પ્રજ્ઞા યાદવ તરફથી આશ્વસ્ત કરવામાં આવી છે કે તેવામાં સંક્રમણ થાય છે તો પણ તે વધારે ગંભીર નહીં હોય. કૈંબ્રિજ યૂનિવર્સિટીના અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે નવા વેરિએન્ટ પર એસ્ટ્રાજેનિકાની રસી પણ પૂર્ણ રુપથી અસરદાર નથી. રિપોર્ટનું કહેવું છે કે આ અધ્યયન લોકોના સીરમ પર આધારિત છે. આના આધાર પર અંતિમ પરિણામ ન કાઢી શકાય. મોટા અધ્યયન કરવાની જરુર છે.