ભારતના રસીકરણમાં જલ્દી ફેરફાર થવાનો છે. થોડાક સમયમાં રસી ખુલ્લા બજારોમાં મળશે. કહેવામાં આવી રહ્યુ છે કે મોટાભાગે રસીની કિંમત 700થી લઈને 1 હજાર સુધીના પ્રતિ ડોઝ સુધી હોઈ શકે છે. હાલમાં સરકારને રસી 250 પ્રતિ ડોઝના દરે મળી રહી છે. ખાસ વાત એ છે કે સરકાર આગામી 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રસી લગાવવાની પ્રક્રિયા શરુ કરી રહી છે.
ખાનગી રસીની કિંમત 700 રુપિયાથી લઈને 1000 રુપિયા સુધી પ્રતિ ડોઝ હોઈ શકે
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી રસીની કિંમત 700 રુપિયાથી લઈને 1000 રુપિયા સુધી પ્રતિ ડોઝ મળી શકે છે. અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર અખબાર સાથેની વાતચીત દરમિયાન સીરમ ઈન્સ્ટીટ્યૂટ સીઈઓ અદાર પૂનાવાલાએ પહેલા કહ્યુ હતુ કે કોવિશીલ્ડની કિંમત એક હજાર રુપિયા પ્રતિ ડોઝ હોઈ શકે છે. ત્યારે રશિયાની રસી સ્પુતનિક વીની આયાત કરવાની તૈયારીમાં લાગેલા ડો. રેડ્ડીજ રસીની કિંમત 750 રુપિયાની અંદર રાખી શકે છે. જો કે આને લઈને હાલ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
કંપનીઓએ રસીની કિંમતને લઈને મોટી જાહેરાત નથી કરી
અત્યાર સુધીમાં અનેક કંપનીઓએ ખુલ્લા બજારોમાં રસીની કિંમતને લઈને મોટી જાહેરાત નથી કરી. કહેવામાં આવી રહ્યુ છે કે આ એ વાત પર નિર્ભર રહેશે કે તે ખાનગી બજારોમાં કેટલી રસી વેચી શકે છે. આ ઉપરાંત નિકાસને લઈને વિચાર અને સપ્લાય ચેનના મુદ્દો પણ રસીની કિંમત નક્કિ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ ઉપરાંત કંપનીઓ રાજ્યોને રસીની કિંમતના સંબંધમાં મળનારા આદેશને લઈને કેન્દ્ર સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
13 કરોડથી વધારે લોકોને અપાઈ રસી
દેશમાં રસીકરણ ચાલુ છે. આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જાણકારી આપી છે કે દેશમાં રસીકરણ ડોઝ લગાવવાનો આંકડો 13 કરોડને પાર કરી ગયો છે. તેમણે આ વાતની જાણકારી ટ્વીટ કરી આપી છે. હાલમાં દેશમાં 45 વર્ષથી વધારે ઉમંરના લોકોને રસી અપાઈ રહી છે. ત્યારે સરકારે અગામી 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને રસી લગાવવાનો નિર્ણય કર્યો છે.