અમદાવાદમાં અમિતશાહની સૂચના બાદ AMC દ્વારા વેક્સિનેશન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં પણ હવે AMC દ્વારા વેક્સિન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં વેક્સિનેશન પૂર જોશમાં
અમિતશાહની સૂચના બાદ વેક્સિનેશન વધારાયું
સ્લમ વિસ્તારમાં વેક્સિનેશન કેપ્મનું આયોજન
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વેક્સિનેશન ઝડપથી થાય તેને લઈને કેન્દ્રીયગૃહમંત્રી અમિતશાહે સૂચના આપી હતી. જે સૂંચનાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં વેક્સિનેશન હવે પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેથી સંક્રમણ ઝડપથી કાબૂમાં લઈ શકાય.
સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સરળતાથી મળશે
શહેરમાં વેક્સિનેશનનો વ્યાપ પહેલા કરતા ઘણો વધારી દેવામાં આવ્યો છે. જેમા ખાસ કરીને સ્લમ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સ્લમ વિસ્તારમાં રહેતા લોકો હવે સરળતાથી વેક્સિનનો લાભ લઈ શકશે.
સપ્ટેમ્બરમાં 100 ટકા લોકો થશે વેક્સિનેટેડ
ગૃહમંત્રી અમિતશાહ દ્વારા વેક્સિનેશનને લઈને સૂચના આપવામાં આવી હતી કે સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદમાં 100 ટકા લોકોને વેક્સિન આપવામાં આવે. જેમા 100 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી ત્રીજી લહેર વખતે સંક્રમણ પર બને તેટલું કાબૂ મેળવી શકાય.
વેક્સિન કેમ્પમાં કરવામાં આવશે વધારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગૃહમંત્રી અમિતશાહે સૂચના આપી હતી કે અમદાવાદમાં વેક્સિનેશન પર ભાર આપવામાં આવે. જેથી કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન હાલ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલથી હવે વેક્સિન કેમ્પમાં પણ વધારો કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. જેથી વેક્સિનેશન હજું વધારે ઝડપથી કરી શકાશે.
ત્રીજી લહેરની આશંકા વચ્ચે લેવાયા મોટા નિર્ણય
ઉલ્લેખનીય છે વેક્સિનેશન વધારવા માટે રાત્રિ કેમ્પની પણ શરૂઆત કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. હાલ ત્રીજી લહેરને લઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જેને અનુલક્ષીને સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે.