સોમવારે દેશમાં એક કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.
માત્ર 11 દિવસની અંદર આ ત્રીજી વાર એક કરોડથી વધારે રસીકરણ
એક દિવસમાં ભારતમાં 1 કરોડ 5 લાખ 76 હજાર 296 રસી આપવામાં આવી
1 દિવસમાં એક કરોડથી વધારે રસી 27 અને 31 ઓગસ્ટે આપવામાં આવી હતી
માત્ર 11 દિવસની અંદર આ ત્રીજી વાર એક કરોડથી વધારે રસીકરણ
ભારતમાં કોરોનાની વિરુદ્ધ રસીકરણ અભિયાન દર રોજ નવા સ્તરને આંબી રહ્યું છે. સોમવારે દેશમાં એક કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. માત્ર 11 દિવસની અંદર આ ત્રીજી વાર છે. જ્યારે દેશમાં એક દિવસમાં એક કરોડથી વધારે લોકોને રસી લગાવવામાં આવી છે. નવા આંકડાને મેળવીને જોવામાં આવે તો અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 69.72 કરોડ લોકો કોરોનાની વિરુદ્ધ રસી મેળવી ચૂક્યા છે.
એક દિવસમાં ભારતમાં 1 કરોડ 5 લાખ 76 હજાર 296 રસી આપવામાં આવી
સોમવારે રાતના આંકડા જણાવે છે કે એક દિવસમાં ભારતમાં 1 કરોડ 5 લાખ 76 હજાર 296 રસી લગાવવામાં આવી છે. આંશિક અથવા પૂર્ણ રુપથી રસીકરમ કરાવી ચૂકેલા ઓછામાં ઓછા 69.72 કરોડ લોકોમાંથી આમાં 53.43 કરોડ પહેલા તો 16.29 કરોડ નાગરિકોને બીજો ડોઝ મેળવ્યો છે. દેશમાં 16 જાન્યુઆરીથી દુનિયાનો સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ શરુ થયો હતો. જે અંતર્ગત ચરણબદ્ધ રીતે નાગરિકોને રસી આપવામાં આવી હતી.
1 દિવસમાં એક કરોડથી વધારે રસી 27 અને 31 ઓગસ્ટે આપવામાં આવી હતી
આ પહેલા એક દિવસમાં એક કરોડથી વધારે રસી 27 અને 31 ઓગસ્ટે આપવામાં આવી હતી. ત્યારે રસી મેળવનારાની સંખ્યા ક્રમશઃ 1 કરોડ 64 હજાર 32 અને 1.09 કરોડ હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ એક વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં કહ્યું હતુ કે રાષ્ટ્ર રેકોર્ડ 1.25 કરોડ રસી લગાવી રહ્યા છે. તેમણે આ પહેલા એ વાત પર ભાર મૂક્યો છે કે આંકડા અનેક દેશની જનસંખ્યા કરતા વધારે છે. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને કોરોના સામેની લડાઈના નેતૃત્વમાં આભાર માન્યો.
ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે
હાલમાં દેશમાં ત્રીજી લહેરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત ચિકિત્સા સ્તર પર તૈયારીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને અલગ અલગ રાજ્યોના સીએમ સહિત જાણકાર અને નેતા સામાન્ય જનતાને તહેવારની સીઝનમાં સુરક્ષા પર ધ્યાન આપવાની વાત કરી રહ્યા છે.