મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં વેક્સિનેશન મંદ ગતીએ થઈ રહ્યું છે. જેથી અહીયા લોકો વેક્સિન લે માટે કલેક્ટર દ્વારા કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં વેક્સિનેશન મંદ ગતીએ
લોકો વેક્સિન લે તે માટે કલેક્ટરે કડક નિયમો જાહેર કર્યા
રિક્ષા ચાલકોની રિક્ષા જપ્ત કરી લેવામાં આવશે
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં વેક્સિનેશન અભિયાન વધારવા માટે કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. જે નિયમો અંતર્ગત જે પણ રિક્ષાચાલકે વેક્સિન નહી લીધી હોય તેની રિક્ષા જપ્ત કરી લેવામાં આવશે. જિલ્લા કલેક્ટર સુનીલ ચૌહાણ દ્વારા આ મહત્વના આદેશો આપવામાં આવ્યા છે. જેથી કરીને લોકો પહેલા વેક્સિન લેવા જાય
બસ અને ટ્રેનોમાં ટિકીટ નહી મળે
આ સિવાય હવે બસ અને ટ્રેનોમાં પણ તે લોકોને ટિકીટ નહી મળે જે લોકોએ વેક્સિન નથી લીધી. નવા કડક નિયમો આગામી 25 નવેમ્બરથી અમલમાં મુકશે. મરાઠાવાડ ક્ષેત્રમાં આવેલ ઔરંગાબાદ જિલ્લામાં વેક્સિનેશન ઘણું ધીમું ચાલી રહ્યું છે. જેથી આ મામલે જિલ્લા કલેક્ટરે પીએમ મોદીની અધ્યક્ષમાં યોજાયેલ બેઠકમાં પણ ભાગ લીધો હતો.
64.36 ટકા લોકોએજ વેક્સિન લીધી
અત્યાર સુધીમાં અહીયા કુલ વસ્તીના 64.36 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. જ્યારે 27.8 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. જેથી કહી શકાય હજું પણ અહીયા વેક્સિનેશન ઘણું ધીમું છે. જેથી સમગ્ર મામલે કલેક્ટર દ્વારા હવે કડક નીયમો અમલમાં મુકવામાં આવ્યા છે.
રિક્ષાચાલકોની રિક્ષા જપ્ત થશે
ખાસ કરીને આ નવા કડક નિયમોમાં જે રિક્ષાચાલકોએ વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો તે રિક્ષાચાલકોની રિક્ષા હવે જપ્ત કરી લેવામાં આવશે. તે સિવાય પેટ્રોલ પંપના સંચાલકોને પણ એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે લોકોએ વેક્સિન ન લીધી હોય તે લોકોને પેટ્રોલ પણ આપવામાં નહી આવે.