દુનિયાભરમાં અમેરિકા બાદ ભારતે ફક્ત 34 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સીન આપીને મોટી સિદ્ધિ મેળવી.
કોરોનાકાળમાં ભારતની મોટી સિદ્ધિ
ફક્ત 34 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને આપી વેક્સીન
અમેરિકા બાદ વેક્સીનેશનમાં ભારત અગ્રેસર
ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. સૌથી ઝડપથી વેક્સીન આપવામાં ભારત દુનિયાભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ચૂક્યું છે. ભારતમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ ચૂકી છે. આ આંક ભારતે ફક્ત 34 દિવસમાં મેળવ્યો છે. શુક્રવાર સુધીમાં દેશમાં 1 કરોડથી વધારે લોકોને વેક્સીનેશન કરાયું છે. અમેરિકાએ 31 દિવસમાં 1 કરોડ લોકોને વેક્સીન આપી હતી.
भारत में कोरोना वायरस की एक करोड़ से ज़्यादा वैक्सीन लगाई गई हैं। भारत को एक करोड़ वैक्सीनेशन करने में 34 दिनों का समय लगा। इतनी तेज़ी से एक करोड़ वैक्सीनेशन करने वाला भारत दूसरा देश है: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19pic.twitter.com/W3FENkPXAF
ભારતમાં કોરોનાની લડાઈના વિરોધમાં 16 જાન્યુઆરીએ વેક્સીનેશન શરૂ કરાયું. આ સાથે જ થોડા જ દિવસોમાં સૌથી વધુ વેક્સીન આપવાનો પ્રબંધ પણ કરાયો. કેટલાક લોકો સંકોચ કરી રહ્યા હતા અને તેની ગતિ ધીમી પડી આ કારણે અમેરિકા આગળ નીકળી ગયું.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું આવું
ભારતે પોતાના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સીનના 1 કરોડથી વધારે ડોઝ આપ્યા છે અને તે પણ ફક્ત 34 દિવસમાં કરાયું છે. દુનિયામાં આવું કરનારો ભારત અમેરિકા બાદનો બીજો દેશ છે.
18 फरवरी को एक दिन में सबसे अधिक वैक्सीनेशन डोज दिए गए। कल वैक्सीन की 6,58,674 डोज दी गई। आज शाम 6 बजे तक कुल 1,04,49,942 टीके लगाए गए हैं: स्वास्थ्य मंत्रालय #COVID19pic.twitter.com/5IXP8gwjfj
સરકારના આંકડા અનુસાર 18 ફેબ્રુઆરીની સાંજે 1 કરોડથી વધુ લોકોને વેક્સીન અપાઈ ચૂકી છે. સરકારે ફરીથી કહ્યું કે એક દિવસ પહેલાં વિંડો બંધ કરવાનો મતલબ છે કે બંને વેક્સીન સુરક્ષિત અને પ્રતિરક્ષાત્મક છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે વેક્સીનના કારણે દેશમાં કોઈ ગંભીર ઘટના જોવા મળી નથી અને વેક્સીનેશનના કારણે કોઈનું મોત પણ થયું નથી. હું દરેક પ્રોફેશનલ્સને અનુરોધ કરું છું કે તેઓ વેક્સીન લગાવડાવે.
12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રેદશઓમાં આવી છે સ્થિતિ
12 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. આ રાજ્યોમાં બિહારમાં 84.7 ટકા, ત્રિપુરામાં 82.9 ટકા, ઓરિસ્સામાં 81.8 ટકા, ગુજરાતમાં 80.1 ટકા, છત્તીસગઢમાં 79.7 ટકા, ઉત્તરાખંડમાં 77.7 ટકા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં 75.6 ટકા, હિમાચલમાં 75.4 ટકા અને રાજસ્થાનમાં 75 ટકા વેક્સીનેશન થયું છે. સૌથી ઓછું વેક્સીનેશન પોડિચેરીમાં 30.2 ટકા થયું છે. ગિલ્હીમાં પણ 46.5 ટકા સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે.
18 ફેબ્રુઆરીએ થયું સૌથી વધારે વેક્સીનેશન
આ દિવસે દેશમાં કુલ 6 લાખ 58 હજાર 674 લોકોએ વેક્સીન લીધી હતી. આ દિવસે ભારતે 1 કરોડનો આંક વેક્સીનેશનને માટે પાર કર્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન અપાઈ ચૂકી છે. તેમાં ફ્કત 34 દિવસનો સમય લાગ્યો છે.