સરકારે મંગળવારે કહ્યું કે કોવિડ 19થી બચવા માટે રસી લેનારા કુલ લોકોમાંથી 0.18 ટકામાં આડ અસર જોવા મળી છે. જ્યારે 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જે બહું નીચલુ સ્તર છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યું કે રસીકરણ બાદ આડ અસર અને ગંભીર સમસ્યા હજું સુધી જોવા મળી નથી. પ્રતિકુળ અસરના નગણ્ય મામલા આવ્યા છે. તેમણે એ વાત પર ભાર મુક્યો કે બન્ને રસી સુરક્ષિત છે.
પહેલા દિવસમાં આડ અસરના આ સૌથી ઓછા કેસ છે
ફક્ત 0.002 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
આડ અસરના અત્યાર સુધી ફક્ત 0.18 ટકા મામલા સામે આવ્યા છે
ફક્ત 0.002 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
પોલે કહ્યું કે નિરાશાજનક છે કે કેટલાક ડોક્ટર્સ, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ રસી લેવાથી ઈનકાર કરી રહ્યા છે અને તેમણે લોકોને રસી લેવાનો આગ્રહ કર્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ઉપલબ્ધ આંકડાના જણાવ્યાનુંસાર રસીકરણ બાદ પ્રતિકુળ અસર (એઈએફઆઈ)ના અત્યાર સુધી ફક્ત 0.18 ટકા મામલા સામે આવ્યા છે અને ફક્ત 0.002 ટકા લોકો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે જે બહું નીચલુ સ્તર છે. જ્યાં સુધી અમને ખબર છે પહેલા દિવસમાં આડ અસરના આ સૌથી ઓછા કેસ છે.
પહેલા દિવસે ભારતમાં 2,07,229 લોકોને રસી આપવામાં આવી
તેમણે કહ્યું કે ભારતમાં પહેલા દિવસે કોવિડ 19 રસીકરણ અભિયાન હેઠળ સૌથી વધારે લોકોને રસી લગાવવામાં આવી. ભૂષણે કહ્યુ કે પહેલા દિવસે ભારતમાં 2,07,229 લોકોને રસી આપવામાં આવી. જ્યારે પહેલા દિવસે અમેરિકામાં 79,458, બ્રિટનમાં 19,700 ફ્રાન્સમાં 73 લોકોને રસી અપાઈ હતી.
અમેરિકામાં 5,56,208 લોકોનું રસીસકરણ થયું
તેમણે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જો આપણે પહેલા અઠવાડિયાના આંકડાઓ પર ધ્યાન આપીએ તો અમેરિકામાં 5,56,208 લોકોનું રસીસકરણ થયું જે આપણે 3 દિવસમાં પાર કરી ચૂક્યા છીએ. બ્રિટનમાં પહેલા વીકમાં 1,37,897 અને ફ્રાન્સમાં 516 અને રશિયામાં 52,000 લોકોનું રસીકરણ થયું. તેની સરખામણીએ આપણે જે શરુઆત કરી છે તેમાં સ્પીડ આવશે.
9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70 ટકાથી વધારે રસીકરણ
ભૂષણે કહ્યું કે રાજસ્થાન અને યુપી સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 70 ટકાથી વધારે રસીકરણ કર્યુ છે. તેમણે કહ્યું કે કોવિડ 19 રસીકરણ કવરેજમાં સારુ પ્રદર્શન કરનારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લક્ષ્યદ્વીપ (89.3 ટકા), સિક્કિમ (85.7 ટકા) , ઓડિશા (82.6 ટકા), તેલંગાણા (81.1 ટકા), ઉત્તર પ્રદેશ (71.4 ટકા), રાજસ્થાન (71.3 ટકા) સામેલ છે. તેમણે કહ્યું કે કોવિડ 19ના કુલ ઉપચારાધિન દર્દીઓમાં 71 ટકા કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના છે.