દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કેન્દ્ર તરફથી વેક્સિન ન મળી હોવાથી આવતીકાલથી 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિેશન નહીં થાય.
દિલ્હીમા આવતીકાલથી 18+ નું વેક્સિનેશન નહીં થાય
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેરાત
કેન્દ્રે વેક્સિન આપી નથી તેથી વેક્સિનેશન નહીં થાય-કેજરીવાલ
પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું કે કાલથી દિલ્હીમાં યુવાનોનું વેક્સિનેશનલ સેન્ટર બંધ થઈ જશે કારણ કે કેન્દ્ર તરફથી વેક્સિન મળી નથી. કેન્દ્ર પાસેથી વેક્સિન માંગવામાં આવી છે જેવી વેક્સિન મળશે કે ફરી વાર સેન્ટર શરુ કરવામાં આવે.
કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીને અઢી કરોડ વેક્સિનની જરુર છે. જૂનમાં 8 લાખ વેક્સિન મળશે. એવું કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે. જો આ ગતિથી વેક્સિન મળશે તો વેક્સિન લગાડવામાં 30 મહિનાનો સમય વીતી જશે.
બે મહિનામાં માત્ર 6-7 કરોડ ડોઝ બની રહ્યા છે જે ખૂબ જ નહિવત છે
CM કેજરીવાલે જણાવ્યું કે "આખા દેશમાં વેક્સિનઈ અછત વર્તાઇ રહી છે અને આ કારણે અમુક રાજ્યોમાં વેકસીનેશન શરૂ પણ નથી થઈ શક્યું. આજે માત્ર 2 જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે અને છેલ્લા બે મહિનામાં માત્ર 6-7 કરોડ વેક્સિન ડોઝ બની રહ્યા છે, જો આ રીતે કામ કરીશું તો બે વર્ષ લાગી જશે આખા દેશમાં રસીકરણ કરતાં કરતાં." અને જો આવું જ ચાલતું રહ્યું તો ખબર નહીં કોરોનાની કેટલીય લહેરો આવતી રહેશે. કેટલાય લોકોનાં જીવ જશે અને ભારત બરબાદ થશે.
બીજી બધી કંપનીઓને પણ મંજૂરી આપો
તેમણે જણાવ્યું કે હાલ માત્ર દેશની બે જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે. તો કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે તમે આ વેક્સિનનો ફોર્મ્યુલા બીજી કંપનીઓને પણ આપો. આ સંકટ સમયમાં તમારી પાસે હક છે આ પ્રસ્તાવને અમલમાં મુકવાનો. અને આ કરવાથી દેશમાં રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપી થઈ જશે.
જે રીતે PPE કીટનું ઉત્પાદન કર્યું તે મુજબ વેક્સિનનું ઉત્પાદન કરીએ
CM કેજરીવાલે પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે ભારતમાં જેટલી પણ કંપનીઓ આ વેક્સિન બનાવવા માટે સક્ષમ છે તે બધી જ કંપનીઓમાં આ વેક્સિન બનવી જોઈએ. આ એક જ યોજનાથી રસીકરણ થઈ શકે છે અને કોઈ પણ ભારતીય વેક્સિનથી વંચિત નહીં રહે. તેમણે કહ્યું કે પહેલી લહેરમાં આપણે સૌ PPE કીટ બનાવવામાં લાગી ગયા હતા તે જ રીતે વેક્સિનનું ઉત્પાદન થવું જોઈએ. સાથે જ તેમણે દિલ્હીની સ્થિતિ વિશે વાત કરી કે દિલ્હીમાં લોકડાઉન સફળ રહ્યું છે અને અમે હવે ઑક્સિજન બેડ પણ વધારી દીધા છે. હવે દિલ્હીમાં ICU અને ઑક્સિજન બેડની અછત નથી.