કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત 12 વર્ષથી ઉપરના બાળકોને હવે કોરોના વેક્સિન આપવામાં આવશે, જેના માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
બાળકો માટે ખુશખબર
કેન્દ્રીય મંત્રીએ કરી મોટી જાહેરાત
આ તારીખથી બાળકોને અપાશે રસી
કોરોના વાયરસ વિરુદ્ધ ભારતમાં દુનિયાનું સૌથી મોટુ વેક્સિન અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. આ તમામને 16 માર્ચથી 12થી 13 તથા 13થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. તો વળી 60 વર્ષથી ઉપરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ સંબંધમાં સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
તેમણે ટ્વિટ કરતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો, દેશ સુરક્ષિત ! મને જણાવતા આનંદ થાય છે કે, 16 માર્ચથી 12થી 13 અને 13થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે, સાથે જ 60 વર્ષથી ઉપરના લોકોને હવે બૂસ્ટર ડોઝ પણ લગાવામાં આવશે. મારી બાળકોના પરિજનોને આગ્રહ છે કે, બાળકોનું રસીકરણ અવશ્ય કરાવો.
બાળકોને વેક્સિન
સૂત્રોએ કહ્યું છે કે, 12થી 14 વર્ષના બાળકોને બાયોલોજિક ઈએસ કોર્બોવૈક્સની રસી લગાવામાં આવશે. દેશભરમાં રસીકરણ અભિયાન ગત વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. ભારતે ચૂંટણીની ડ્યૂટીમાં તૈનાત કર્મચારીઓ સહિત સ્વાસ્થ્ય દેખરેખ રાખતા કર્મચારીઓ, ફ્રન્ટલાઈન પર કામ કરતા લોકો અને 60 વર્ષ કે તેનાથી ઉપરના લોકોને ખાસ તકેદારી રાખવા અને બિમારીથી પીડિત લોકોને આ વર્ષે 10 જાન્યુઆરીથી કોવિડ 19 વિરોધી રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના વધતાં કેસોને ધ્યાને રાખીને બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો હતો.
દેશમાં અત્યાર સુધીમાં 180.19 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19 રસીકરણ કવરેજ સોમવારે સવારે 7 વાગ્યા સુધીમાં 180.19 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચુક્યા છે. આ ઉપલબ્ધિને 2,10,99,040 રસીકરણ સત્ર દ્વારા હાંસિલ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, દેશભરમાં રસીકરણનો દાયરો વધારવામાં આવી રહ્યો છે અને લોકોને રરસી લગાવામાં ઝડપી પ્રક્રિયા લાવવાનો પ્રયાસો થઈ રહ્યા છે.