તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં 2 દિવસ માટે રસીકરણ બંધ રખાયા બાદ આવતીકાલથી ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ થશે
સમગ્ર રાજ્યમાં આવતીકાલથી ફરી રસીકરણ શરૂ
તૌકતે વાવાઝોડાને લઇને બે દિવસથી બંધ હતું વેક્સિનેશન
અમદાવાદ મનપાના 76 અર્બન હેલ્થ સેન્ટર પર થશે વેક્સિનેશન
આવતીકાલથી રાજ્યમાં ફરી રસીકરણની કામગીરી શરૂ થશે. 14મી મે બાદ 45 વર્ષથી વધુની ઉંમરનાનું રસીકરણ બંધ થયું હતું. નવા દિશાનિર્દેશો પ્રમાણે આવતીકાલથી રસીકરણ કરવામાં આવશે. 17મી મે બાદ વાવાઝોડાની સ્થિતિને કારણે રસીકરણ અટક્યું હતું. આવતીકાલથી ફરી 45 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી મળશે. કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 12 થી 16 સપ્તાહ વચ્ચે મળશે. 18થી 44 વર્ષના નાગરિકોને રજીસ્ટ્રેશન પ્રમાણે રસી મળી શકશે.
અમદાવાદમાં પણ રસીકરણ શરૂ કરવાની AMCની જાહેરાત
તો આ તરફ અમદાવાદ શહેરમાં આવતીકાલે ફરી રસીકરણ શરૂ થઈ જશે. તૌકતે વાવાઝોડાને લઇને બે દિવસથી વેક્સિનેશનનું કામ બંધ હતું. અમદાવાદ મનપાના 76 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશન ચાલુ રહેશે. 4 હોસ્પિટલમાં પણ આવતીકાલે રસીકરણ કરવામાં આવશે. જેમાં ફ્રન્ટલાઈન વર્કર અને 45થી વધુ વયના નાગરિકોનું રસીકરણ કરાશે. તો 18થી 44 વર્ષના નાગરિકોને રજિસ્ટ્રેશન પ્રમાણે રસી અપાશે. જો કે, કમ્યુનિટી હોલ અને ડ્રાઈવ થ્રુ ખાતે 45થી વધુના નાગરિકો માટે બંધ રસીકરણ બંધ રહેશે.
દેશમાં કોરોના વેક્સિનની તીવ્ર અછતની વચ્ચે કેન્દ્ર સરકારે ઉઠાવેલા આ એક પગલાંથી રાજ્યોને ખૂબ મોટો ફાયદો થશે અને અડચણ વગર વેક્સિનેશનનું કામ ચાલી શકશે. હાલમાં ઘણા રાજ્યોમાં વેક્સિનની ખૂબ મોટી અછત છે અને વેક્સિનના અભાવથી વેક્સિનેશનનું કામ અટવાયેલું છે.
રાજ્ય સરકારોને આગોતરા આયોજનનો આદેશ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે લેખિતમાં જાણકારી આપવામાં આવી છે. રાજ્યોને જણાવાયું છે કે તમામ રાજ્યોને કોરોનોની વેક્સિન કોવિશિલ્ડ, કોવેક્સિન મે અને જુનના પહેલા 15 દિવસમાં મળી જશે. તેનાથી રાજ્ય સરકારો, પ્રાઈવેટ હોસ્પિટલો સરળતાથી વેક્સિનેશનનું કામ આગળ ચલાવી શકશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, 1 મે થી 15 જુન વચ્ચે ભારત સરકાર તમામ રાજ્યોને 5.86 કરોડ વેક્સિન ડોઝ મફતમાં ઉપલબ્ધ કરાવશે. તે ઉપરાંત જુનના અંત સુધીમાં વેક્સિન નિર્માતાઓ પાસેથી 4.87 કરોડના વધારાના ડોઝ પણ ઉપલબ્ધ રહેશે જે રાજ્ય સરકાર અથવા પ્રાઈવેટ હોસ્પિટલ તેની જરુરીયાત પ્રમાણે વેક્સિન નિર્માતાઓ પાસેથી ખરીદી શકશે. ઉલ્લેખનીય છે કે જિલ્લાધિકારીઓ સાથેની મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે રાજ્યોને 15 દિવસ એડવાન્સમાં કોરોનાની વેક્સિન મળી રહે તે માટેના તમામ પ્રયાસો ચાલુ છે.
સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક ટેસ્ટિંગની જરુર
મીટિંગમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોના સામેની લડાઈમાં જિલ્લાધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તમે ફિલ્ડ કમાન્ડર્સ છો. જો તમને પોલિસીમાં કોઈ ફેરફારની જરુર લાગતી હોય તો તમે બેધડક તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, આક્રમક ટેસ્ટિંગ અને લોકોને સાચી તથા સંપૂર્ણ માહિતી આપવી ખૂબ જ જરુરી છે.