હાલના નિયમ અનુસાર કેટલાક રાજ્યોમાં જવા માટે મુસાફરોએ નેગેટિવ RT-PCR રિપોર્ટ આપવાનું જરૂરી છે. આ વ્યવસ્થાને બદલવા માટે સરકાર વિચાર કરી રહી છે.
જાણો આ છે સરકારનો પ્લાન
ટેન્શન ફ્રી થશે ડોમેસ્ટિક ફ્લાઈટ્સની મુસાફરી
વેક્સિન લીધા બાદ RT-PCRની જરૂર નહીં રહે
ડોમેસ્ટિક ફ્લાઈટ મુસાફરી હવે જલ્દી ટેન્શન ફ્રી થઈ શકે છે. જે લોકોએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓએ ડોમેસ્ટિક ટ્રાવેલ માટે RT-PCR રિપોર્ટની જરૂર રહેશે નહીં. કેન્દ્ર સરકાર આ નવી વ્યવસ્થાને લઈને વિચાર કરી રહી છે. મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા પેસેન્જરને વિના RT-PCR રિપોર્ટ યાત્રાની મંજૂકી આપી શકાય છે. આ માટે અંતિમ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય અનેક મંત્રાલયો અને હિતેચ્છુ ટીમ મળીને લેશે. તેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ સામેલ છે. તેનો હેતુ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં બાધાઓને મુક્ત કરવાનો છે.
શું છે વ્યવસ્થા
હાલમાં ડોમેસ્ટિક પેસેન્જરને કેટલાક ખાસ રાજ્યોમાં મુસાફરી કરતા પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવાનો જરૂરી રહેશે. આ એવા રાજ્ય છે જ્યાં કોરોનાના સક્રિય કેસ હજુ પણ વધારે છે.
રાજ્યોનો વિષય છે હેલ્થ
મંત્રી પુરીએ કહ્યું કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે. રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા યાત્રીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટ આપવા માટે કહેવું એ તેમની પર નિર્ભર કરે છે.
વેક્સિન પાસપોર્ટને લઈને પણ ચર્ચા
વિદેશ મુસાફરી કરનારા યાત્રીઓને માટે વેક્સિન પાસપોર્ટના કોન્સેપ્ટ પર પણ વિચાર કરાઈ રહ્યો છે. ભારત તેનો વિરોધ કરી ચૂક્યું છે અને સાથે તેને ભેદભાવ વાળું ગણાવ્યું છે. વિકસિત દેશોના સંગઠન જી-7ની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત તેના પક્ષમાં નથી. વિકસિત દેશની સરખામણીએ વિકાસશીલ દેશમાં વેક્સિન અનેક લોકો સુધી પહોંચી નથી. વિકસિત દેશનું કહેવું છે કે જે લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે તેઓ વાયરસથી એક રીતે સુરક્ષિત છે. આ માટે આ લોકોની અવર જવર પર રોકટોક હોવી જોઈએ નહીં.