આપણે સમાન્ય રીતે માનીએ છીએ કે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો તેમની વચ્ચે તાલમેલનો અભાવ હોય છે. પરંતુ ભારતીય વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ લગ્નજીવનમાં પરેશાનીએ રહે છે. જો તમારા મેરેજમાં પણ કેટલીક પરેશાનીઓ હોય તો વાસ્તુ ટિપ્સ ફોલો કરો ચોક્કસ ફાયદો મળશે..
- જે પલંગ પર પતિ-પત્ની સૂતા હોય તેના પર કોઇ અન્યને સૂવા ન દેવુ જોઇએ.
- પતિ-પત્નીના બેડરૂમમાં પલંગ અથવા પથારી બારી પાસે ન લગાવવી જોઈએ. તેનાથી સંબંધોમાં તણાવ અને અસહયોગ વધે છે.
- જો બારી પાસે પલંગ રાખવો હોય તો માથા અને બારી વચ્ચે પડદો જરૂર નાખી દેવો જોઇએ. વાસ્તુ મુજબ તેનાથી નકારાત્મક ઉર્જાની ખરાબ અસર તમારા સંબંધો પર નહી પડે.
- વાસ્તુ મુજબ ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગને પરસ્પર સંબંધો માટે એક્ટિવ માનવામાં આવે છે. એટલે કે આ ભાગમાં હકારાત્કમ ઉર્જાને સક્રિય અને નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે પણ પ્રયાસ કરશો તે વધુ ફળદાયક સાબિત થાય છે.
- બેડરૂમમાં એવી વસ્તુઓ ન રાખો, જે એકલતા અથવા નકારાત્મકતા દર્શાવે છે. જેમ કે ડૂબતી નાવની તસવીર, કામુક ચિત્રો, બિનજરૂરી સામાન, ગંદકી ફેલાવનારી વસ્તુઓ વગેરે. ધ્યાન રાખો બેડરૂમમાં પલંગના એકદમ સામે અરીસો પણ ન લગાવવો જોઈએ ..
- છત પર બીમ હોય તો પતિ-પત્નીએ ઠીક તેની નીચે ન સૂવું જોઈએ. તે સ્થાનથી થોડુ દૂર સુઇ જવુ જોઇએ.
- નવદંપત્તી માટે પથારી પણ નવા હોવા જોઈએ. જો આ શક્ય ન હોય તો પ્રયાસ કરો કે આવી ચાદર અથવા પથારીને ઉપયોગમાં ન લેવાય, જેમાં કાણું હોય અથવા તે ક્યાંયથી કપાયેલી કે ફાટેલી હોય.
- પતિ-પત્નીએ પલંગની નીચે કોઈ પણ સામાન ન રાખવો જોઈએ. પલંગની નીચેની જગ્યાઓને ખાલી રહેલા દેશો તો હકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.
- બેડરૂમમાં પ્રવેશ દ્વારવાળી દિવાલની સાથે તમારો બેડ લગાવીને રાખ્યો છે તો તેનાથી બચો. તેનાથી સંબંધોમાં તણાવ વધે છે.
- પલંગ કાયમ સાફ રહેવો જોઈએ. તેનાથી સંબંધોમાં તાજગી બની રહે છે.