નવી દિલ્હીઃ વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાઇ હતી. VHPએ પોતાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ગુરુગ્રામમાં યોજી હતી. જેનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. અધ્યક્ષ પદને લઇ બે ઉમેદવારો મેદાને હતા.
પરિષદના સભ્યોમાં કોઇ એક નામ પર સહમતિ બની શકી નહોતી જ્યારબાદ ચૂંટણી કરવાનો નિર્ણય લેવાયો હતો. VHPના નવા અધ્યક્ષ વી.કોકઝે બન્યા છે. તોગડિયા ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. તોગડિયા ગ્રુપના રાઘવ રેડ્ડીની હાર થઇ છે. દેશભરમાંથી VHP નેતાઓએ મતદાન કર્યું હતું.
મહત્વનું છે કે 52 વર્ષ બાદ પહેલીવાર અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. સાથે જ ભાજપ અને આરએસએસ સાથે પ્રવીણ તોગડીયાના સંબંધોમાં ચકમક વચ્ચે અધ્યક્ષ પર તમામની નજર હતી. ત્યારે તોગડિયા ગ્રુપના રાઘવ રેડ્ડીની હાર થઇ છે. આ ચૂંટણી માટે 273 મતદાતાઓ હતા.
પ્રવીણ તોગડીયાએ આરોપ લગાવ્યો હતો કે VHPની મતદાર યાદીમાં 37 નકલી મતદાતાઓ છે. તો પરિષદના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે પ્રવીણ તોગડિયા સાથે તેમના કાર્યકરતાઓ VHP ઓફિસ આવ્યા હતા અને ચૂંટણી પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
તો આ ચૂંટણી ખાસ એટલા માટે માનવામાં આવતી હતી કે પ્રવીણ તોગડીયાના પીએમ મોદી સાથે સંબંધોમાં તિરાડ પડેલી છે. તો ભાજપ અને સંઘ નથું ઈચ્છતુ કે 2019માં તોગડીયા વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બને. ત્યારે VHPના નવા અધ્યક્ષ વી.કોકઝે બન્યા છે. ત્યારે તોગડિયા ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે.