ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી થયેલી તબાહમાં હાલ રાહત અને બચાવ કામગીરી પુરજોશથી ચાલી રહી છે.
મરીન કમાંડોની ટીમ પણ પહોંચી
તપોવનની સુરંગ 180 મીટરની છે. 130 મીટર અંદર સુધી ટીમ પહોંચી છે પરંતુ કાટમાળ વદારે છે. ત્રણ દિવસથી રેસ્કયુ ચાલી રહ્યું છે. જ્યારે સુરંગમાં ફસાયેલા 35 લોકોને નીકાળા માટે મરીન કમાંડોની ટીમ પણ પહોંચી ગઇ છે. ઓન ગ્રાઉન્ડ રેસ્કયૂ મિશનના લોકો કહી રહ્યાં છે કાટમાળને હટાવવામા બે દિવસ હજુ પણ લાગી શકે છે.
ITBP હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
7 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત-તિબ્બેટ સીમા પોલીસ (ITBP)એ 12 લોકોને બચાવ્યાં હતા. જેઓને જોશીમઠ હોસ્પિટલમાંથી આજે રજા આપી દેવામાં આવી છે.
સુરંગમાં સંયુક્ત ટીમનો પ્રવેશ
ITBP, સેના, NDRF અને SDRFની એક સંયુક્ત ટીમે તપોવન ટનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ સુરંગની અંદર જળસ્તરની તપાસ કરશે.
#WATCH I Uttarakhand: A joint team of ITBP, Army, NDRF and SDRF enters into the Tapovan tunnel to check the water level inside the tunnel ahead of the point till where the debris has been cleared.
ઉત્તરાખંડના ગ્લેશિયર તૂટયા બાદ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર અસર જોવા મળી છે. જેમાં 200 લોકો લાપતા છે. પશ્ચિમ બંગાળના પણ પાંચ શ્રમિકો લાપતા છે. બંગાળના પાંચ શ્રમિકો પૂર્વી મિદાનપુર અને પુરુલિયા જિલ્લાના રહેવાસી હતા.
ટનલને ડ્રિલ કરવામાં લાગી સેના
સેના સુરંગ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે. ગઢવાલ સ્કાઉટસના વિશેષજ્ઞ પર્વતારોહીઓની વિશેષ ટીમ સુરંગમાં ડ્રિલ કરવા માટે કામ કરી રહી છે. ડ્રિલ કરવા માટે 3 થી 4 કલાક લાગશે. કાટમાળને 100 મીટર સુધી સાફ કરવામાં આવ્યો છે, જો કે અત્યાર સુધીમાં 80 મીટર રહ્યો છે.
રેણી ગામમાં બે મૃતદેહ મળ્યાં
રાહત અને બચાવ કામગીરી દરમિયા ચમોલીના રેણી ગામમાં બે વધુ મૃતદેહ મળી આવ્યાં છે. રેણી ગામમાં ગ્લેશિયરની પહેલી અસર જોવા મળી હતી. જ્યાં ગામના ઘણા ઘર તેજ પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા.
The operation tasks for the day has commenced. Mi-17 airborne from Dehradun for Joshimath with NDRF personnel on board. An ALH carrying DRDO's DGRE scientists is undertaking a recce of Tapovan area and glacier: Indian Air Force pic.twitter.com/e2h5esc48i
ઉત્તરાખંડમાં રાહત-બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વાયુસેનાની તરફથી આજે Mi-17 ને મિશન પર લગાવામાં આવ્યાં છે. જે દેહરાદૂનથી જોશીમઠમાં NDRFના જવાનોને પહોંચાડશે.
ચમોલીમાં ગ્લેશિયર દૂર્ઘટના મામલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે હવાઇ નિરીક્ષણ કર્યું. આ સાથે સીએમ રાવતે ITBP હોસ્પિટલમાં રેસ્કયુ કરાયેલા લોકો સાથે મુલાકાત કરી વાતચીત કરી.