ઉત્તરાખંડમાં ઋષિગંગામાં આવેલા પૂરના કારણે હજુ સુધી નંદા દેવી ગ્લેશિયરના કોઇ ભાગને ટૂટવાનું બતાવવામાં આવી રહ્યું હતું. પરંતુ આંતરરાષ્ટ્રીય ભૂગર્ભ વિજ્ઞાની અને ગ્લેશિયરોના વિશેષજ્ઞોએ કંઇક અલગ દાવો કર્યો છે.
ઉત્તરાખંડના ચમોલીમાં સર્જાયેલી હોનારત અંગે તપાસ
આંતરરાષ્ટ્રીય ભૂગર્ભ વિજ્ઞાની અને ગ્લેશિયરોના વિશેષજ્ઞોનો મોટો દાવો
ત્રિશૂલ પર્વત પર થયેલા ભૂસ્ખલનના કારણે નીચે ગ્લેશિયર પર દબાણ બન્યુંઃ વિશેષજ્ઞો
આંતરરાષ્ટ્રીય ભૂગર્ભ વિજ્ઞાની અને ગ્લેશિયરોના વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે કે આ દુર્ઘટના ગ્લેશિયરના ટૂટવાથી નહીં પરંતુ ભૂસ્ખલનના કારણે થયો છે. આવો જણાવીએ કે આ વૈજ્ઞાનિક ચમોલીમાં થયેલી દુર્ઘટનાને લઇને શું દાવો કર્યા રહ્યા છે.
યૂનિવર્સિટી ઑફ કૈલગેરીના જિયોલૉજિસ્ટ અને ગ્લેશિયર એક્ટપર્ટ ડૉક્ટર ડૈન શુગરે પ્લૈનેટ લૈબ્સની સેટેલાઇટ ઇમેજની તપાસ કર્યા બાદ દાવો કર્યો કે ચમોલી દુર્ઘટના ગ્લેશિયર ટૂટવાના કારણે નથી થઇ. આ ત્રિશૂલ પર્વત પર થયેલા ભૂસ્ખલનના કારણે નીચે ગ્લેશિયર પર દબાણ બન્યું છે.
પ્લેનેટ લૈબ્સની સેટેલાઇટ તસવીરોથી સ્પષ્ટ જણાય છે કે જે સમયે દુર્ઘટના બની તે સમયે ત્રિશુલ પર્વત પર ઘણી ધૂળના ગોટા દેખાઇ રહ્યા છે. ઘટના પહેલા અને પછીની તસવીરોને સરખાવીને જોતા અંતર સ્પષ્ટ જાણી શકાય છે. ઉપરથી જામેલી ધૂળ અને માટી ખસીને નીચેની તરફ આવી અને ત્યારબાદ ફ્લેશ ફ્લડ થયું.
Satellite images from @planetlabs show that the disaster in Uttarakhand's Chamoli district on Sunday was caused by a large landslide onto a glacier, which transitioned into the flood. The first person to identify this was Dr Dan Shugar - @WaterSHEDLabhttps://t.co/3TCh2Cf0ntpic.twitter.com/ygmxU3uXqa
ડૉક્ટર ડૈન શુગરે પોતાના ટ્વિટમાં કહ્યું કે, ગ્લેશિયરની ઉપર W આકારમાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે ઉપર લટકેલો ગ્લેશિયર નીચેની તરફ ઝડપથી આવ્યો છે. જ્યારે આ પહેલાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે આ દુર્ઘટના ગ્લેશિયરના ટૂતવાના કારણે થઇ છે. સેટેલાઇટ તસવીરોથી સ્પષ્ટ નજરે આવી રહ્યું છે કે, દુર્ઘટનાના સમયે કોઇ પ્રકારની ગ્લેશિયર ઝીલ નહોતી બની. ન તો તેના કાણે ફ્લેશ ફ્લડ થયું છે.
ડૉક્ટર શુગરે સેટેલાઇટ તસવીરોના આધાર પર દાવો કર્યો છે કે દુર્ઘટના પહેલા ત્રિશૂલ પર્વત પર L આકારમાં હવામાં ધૂળ અને ભેજ જોવા મળ્યો છે. સેટેલાઇટ તસવીરોમાં પર્વતના ઉપરના ભાગમાં કોઇ પ્રકારના ગ્લેશિયર ઝીલના નિર્માણ કે ટૂટવાના કોઇ સબૂત નથી દેખાઇ રહ્યા. આ ભૂસ્ખલનના કારણે થયેલા એવલાંચના કારણે થયું હશે.
પ્લૈનેટ લેબ્સના સેટેલાઇટ ઇમેજરી એક્સપર્ટે સેટેલાઇટ તસવીરોના આધાર પર આ ઘટનાની ત્રિશૂલ પર્વતના ઉપરના ભાગમાં માટી અને ધૂળ જામી હતી, જે ભારે વજનના કારણે બરફની મોટી પરત પર પડી. ત્યારબાદ હિમસ્ખલન થયું અને તેના કારણે ફ્લેશ ફ્લડની નોબત આવી છે.
કૉપરનિકસ સેંટીનલ-2 સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોમાં નંદા દેવી ગ્લેશિયરની ઉપર તિરાડ જોવામાં આવી હતી. જો આ તસવીરોમાં જોવામાં આવે તો જાણી શકાય છે કે ત્રિશૂલ પર્વતના ઉપરના ભાગમાં તિરાડો જોવા મળી રહી છે. ત્યારે, બૉબ ઓ મૈકનૈબ નામના ટ્વિટર હેન્ડલ પરથી 2 તસવીરો પોસ્ટ કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે, 5 ફેબ્રુઆરીએ જે તિરાડ દેખાઇ રહી છે તે 6 ફેબ્રુઆરીએ જોવા નહોતી મળી.
Hard to tell for sure, but 5 February 2021 (left) shows a line near the top of the glacier that isn't really there in the 6 February 2020 image (right) pic.twitter.com/PgXZYeHgIa
આ તમામ ટ્વિટ્સ અને એક્સપર્ટના હવાલાથી જે વાત સામે આવી રહી છે તેના અનુસાર નંદા દેવી ગ્લેશિયર ઉપર ત્રિશૂલ પર્વત પર રૉકસ્લોપ ડિટૈચમેન્ટ થયું છે. એટલે કે બરફની અંદાજિત 2 લાખ વર્ગ મીટર મોટી પરત ધૂળ અને માટીના ખસવાના કારણે 2 કિલોમીટર નીચે સીધી આવી પડી. તેના કારણે ઘાટીના નિચલા ભાગમાં કોઇ દબાણ પડ્યું, જેના કારણે કાદવ, પાણી, પથ્થર અને બરફ એવલાંચના રૂપમાં નીચે તરફ આવ્યા.
Actrually, it looks like it may have been a landslide from just W of the glacier. See here. Possibly from the steep hanging glacier in the middle of the Google Earth image. pic.twitter.com/6ImcwI91d7
એવલાંચ જ્યારે નીચેની તરફ સ્થિત નંદાદેવી ગ્લેશિયરથી ટકરાયો તો તેના કારણે ઘણુ દબાણ અને ગરમી પેદા થઇ હશે, જેનાથી ગ્લેશિયરનો અંદાજિત 3.5 કિલોમીટર પહોળો ભાગ તૂટી ગયો હશે. ત્યારબાદ નિચેના વિસ્તારો તરફ ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં અચાનક પુર આવ્યું છે.
ભૂસ્ખલનના એક્સપર્ટ પણ ત્રિશૂલ પર્વત પર લેન્ડસ્લાઇડની વાતને સાચી માને છે. આ ઠીક એજ પ્રકારનું છે જેવું કે નેપાળમાં 2012માં સેતી નદીમાં આવ્યું હતું. જેમોલીમાં જે પણ દુર્ઘટના થઇ છે, તેની પાછળ ગ્લેશિયર એવલાંચ અને પર્વતની ઉપર ભૂસ્ખલન બન્ને જ જવાબદાર હોઇ શકે છે. આ માત્ર ગ્લેશિયરના ટૂટવાનું કારણ નથી થયું.