ઉત્તરપ્રદેશની યોગી સરકારે રક્ષાબંધનના દિવસે બહેનોમે મોટી રાહત આપી છે. મહિલાઓ સોમવારે રાજ્ય પરિવહનની તમામ બસોમાં ફ્રીમાં સફર કરી શકશે. આ સિવાય આવતીકાલે એટલે કે રવિવારે રાખડી અને મિઠાઈઓની દુકાનોને પણ સરકારે ખોલવાનો નિર્ણય લીધો છે.
રક્ષાબંધન પર યોગી સરકારની બહેનોને ગિફ્ટ
રાજ્ય પરિવહનની બસોમાં કરી શકશે ફ્રીમાં સફર
રવિવારે સરકાર તરફથી લોકોને થોડી રાહત
સોમવારે રક્ષાબંધનના કારણે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. લૉકડાઉનના જે પ્રતિબંધો હોય છે તે આવતીકાલે લાગૂ નહીં હોય. જણાવી દઇએ કે, કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવાર લૉકડાઉન રહે છે. લૉકડાઉન શુક્રવાર રાત્રિ 10 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી રહે છે. પરંતુ આ રવિવારે સરકાર તરફથી લોકોને થોડી રાહત આપવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, રક્ષાબંધનના પર્વને ધ્યાને રાખતા રવિવારે રાખડી અને મિઠાઈની દુકાનો ખુલ્લી રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી યોગીએ છેલ્લા 3 વર્ષોની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ પર ઉત્તરપ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ બસોમાં મહિલાઓને ફ્રીમાં બસ યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના આદેશ આપવાના આદેશ આપ્યા છે.
આ હેઠળ રવિવારની મધ્ય રાત્રી 12 વાગ્યાથી સોમવારની મધ્ય રાત્રિએ 12 વાગ્યા વચ્ચે (23 કલાક) નિગમની તમામ શ્રેણીની બસોમાં મહિલા યાત્રીઓને ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. સીએમએ રક્ષાબંધનના પર્વ પર પોલીસને કડક પેટ્રોલિંગના આદેશ પણ આપ્યા છે.
સીએમ યોગીએ કહ્યું કે, રક્ષાબંધનના અવસરે કોવિડના પ્રોટોકૉલનું પૂર્ણપાલન કરવામાં આવે. કોઈ પણ જાહેર આયોજન ન કરવામાં આવે. ઘર પર જ રહીને તહેવાર મનાવે.
આ પહેલા યોગી સરકારે અનલૉક-3 માટે આદેશ પણ આપ્યા હતા, જેમાં 1થી 3 ઓગસ્ટ વચ્ચે બકરી ઇદ અને રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખતા શનિવાર અને રવિવારે મિઠાઈ, બેકરી, પશુ વિક્રેતા અને રાખડી વિક્રેતાની દુકાનો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દીધી છે.