ખેડૂત આંદોલન દરમિયાન રાકેશ ટિકૈત રડી રહ્યા હતા તો મને આ જોવાયું નહીંઃ કેજરીવાલ
સરકારની પાસે પૈસાની કમી નથી નિયતની કમી છેઃ કેજરીવાલ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદો પાસ કરાવ્યો છે. આ કાયદાને લઇને સૌની ખેતી આ ઉદ્યોગપતિઓના હાથમાં ચાલી જશે.
કેજરીવાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના રડવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન રાકેશ ટિકૈત રડી રહ્યા હતા તો મને આ જોવાયું નહીં. તેમણે કહ્યું કે, ખેડૂતો પર ડંડા વરસાવવામાં આવી રહ્યા છે, ખીલા ઠોકવામાં આવી રહ્યા છે. એવું તો અંગ્રેજોએ આપણા ખેડૂતો પર જુલમ નહોતો કર્યો, ભાજપે તો અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા. હવે આ અમારા ખેડૂતો પર ખોટા કેસ કરી રહ્યા છે.
કેજરીવાલે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, આજે પોતાના દેશના ખેડૂતના ખેડૂતો વધુ પીડામાં છે. ખેડૂત ભાઈ પરિવાર સહિત 95 દિવસોથી કડકડતી ઠંડીમાં દિલ્હીની બોર્ડર પર ધરણા પર બેઠા છે. 250થી વધુ ખેડૂત ભાઇઓની શહીદી થઇ ચૂકી છે. પરંતુ સરકારને કંઇ ફરક નથી પડતો.
તેમણે કહ્યું કે, તમામ પાર્ટીની સરકારોએ 70 વર્ષોથી ખેડૂતોને દગો આપ્યો છે. ખેડૂત 70 વર્ષથી પોતાના પાકનો યોગ્ય ભાવ માંગી રહ્યા છે. તમામના ચૂંટણી ઘોષણાપત્રમાં લખ્યું હશે કે અમે જીતીશું તો અમે યોગ્ય ભાવ આપી દઇશું. પરંતુ જો યોગ્ય ભાવ આપ્યા હોત તો ખેડૂતો આત્મહત્યા ન કરત.
कृषि से जुड़े केंद्र के तीनों काले कानूनों के खिलाफ़ मेरठ किसान महापंचायत में मेरा संबोधन | LIVE https://t.co/cgmYeMMTX0
ભાજપ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપે 2014ના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમે સ્વામીનાથન રિપોર્ટ લાગૂ કરીશું. ખેડૂતોએ તેમને ભારે મતદાન કર્યું. 3 વર્ષ બાદ ભાજપે સુપ્રીમ કોર્ટના એફિડેવિટમાં લખ્યું કે તેઓ MSP નહીં આપે. તેમણે ખેડૂતોની પીઠમાં છરો મારી દીધો.
કેજરીવાલે કહ્યું કે, સરકારની પાસે પૈસાની કમી નથી નિયતની કમી છે. તેમણે કહ્યું કે, સારી નિયત વાળી સરકાર હોત તો ખેડૂતો ટ્રેક્ટર લઇને મળવા જશે અને તેમના ઘરે પહોંચતા જ ઘઉંની ચૂકવણી થઇ જશે.
યોગી પર કર્યા પ્રહાર
યોગી સરકાર પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, યોગીએ એવી નબળાઇ છે કે આ મિલ માલિકોને યોગ્ય નથી કરી શકતા. જ્યારે હું દિલ્હીમાં સત્તામાં આવ્યો તો પાંચ વર્ષ બાદ વીજ કંપનીઓને સરખી કરી દીધી. પહેલા દિલ્હીમાં 20-20 હજાર બિલ આવતા હતા આજે દિલ્હીમાં ફ્રીમાં વીજળી મળે છે અને 24 કલાક વીજળી મળે છે. તેમણે કહ્યું કે, યોગી સરકાર જો ખેડૂતોને તેમના પાકના પૈસા નથી અપાવી શક્યા તો ધિક્કાર છે તમારા પર.
કેજરીવાલે કહ્યું કે, તમામ પાર્ટીની સરકારોએ 70 વર્ષોથી ખેડૂતોને દગો આપી દીધો છે. ખેડૂત 70 વર્ષથી પોતાનો પાકનો યોગ્ય ભાવ માંગી રહ્યા છે. તમામ ચૂંટણી ઢંઢેરામાં લખ્યું હશે કે અમે જીતાડી દો અમે યોગ્ય ભાવ આપીશું. પરંતુ યોગ્ય ભાવ આપી દેત તો ખેડૂત આત્મહત્યા ન કરત.