ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્વારા પોપ્યુલેશન કંટ્રોલ પર કાયદો પાસ કરવામાં આવી શકે છે. જે કાયદા અંતર્ગત 2 કરતા વધું સંતાન રાખનાર દંપત્તિને કોઈ પણ લાભ નહી મળી શકે.
યોગી સરકાર વસ્તી નિયંત્રણ માટે બલી પાસ કરશે
એક વર્ષ પછી કાયદો અમલમાં આવશે
લોકોની સલાહ લીધા બાદ કાયદો અમલમાં આવશે
ઉત્તરપ્રદેશ સરકાર હવે નવું બીલ પાસ કરવાની તૈયારીમાં છે. યોગી સરકાર દ્વારા પોપ્યુલેશન કંટ્રોલ બીલ તૈયાર કરવામાં આવશે. જે બીલ અંતર્ગત જેને બે કરતા વધારે સંતાન હશે તેને કોઈ પણ પ્રકારની સબસીડી કે પછી કલ્યાણકારી યોજનાનો લાભ નહી મળી શકે. તે સિવાય તે લોકો સરકારી નોકરી માટે પણ અપ્લાય નહી કરી શકે.
આગામી ચૂંટણી આ બિલની અસર પડશે
વધુંમાં આ બીલ જો પાસ થયું તો બે કરતા વધારે સંતાનોના પિતા કોઈ પણ પ્રકારની સ્થાનિક ચૂંટણી પણ નહી લડી શકે. આ બિલ ઉત્તરપ્રદેશમાં વસ્તી નિયંત્રણ લાવી શકાય તે હેતુથી પાસ કરવામાં આવશે. જે મામલે 19 જુલાઈ સુધી સામાન્ય લોકો પાસેથી પણ સલાહ લેવામાં આવશે. કારણકે આ બીલ પાસ થશે તો તો તેની અસર આગામી ચૂંટણી પર પડી શકે છે.
ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બિલને લઈને જે પ્રેઝન્ટેશન જોયું છે તેને લઈને ટૂંક સમયમાં તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે. જો બીલ પાસ થયું તો બે કરતા વધારે સંતાનોના પિતાને બધીજ કલ્યાણકારી યોજનાઓમાંથી બાકાત કરવામાં આવશે.
2 થી વધું સંતાનમાં સરકારી નોકરી નહી મળે
સમગ્ર મામલે આ બીલમાં એવો પણ ઉલ્લેખ છે કે જે દંપત્તિના બે કરતા વધું સંતાન હશે તે લોકો સરકારી નોકરી માટે પણ અરજી નહી આપી શકે. ઉપરાંત સરકારી નોકરીમાં પણ તેમને પ્રમોશન નહી મળે. સરકાર તરફથી જે રેશનીંગ કાર્ડ આપવામાં આવશે તે પણ ચાર સદસ્યો સુધી સીમીત રહેવાનું છે. તેમા વધારે કોઈ પણ પ્રકારની સબસિડી નહી મળી શકે.
એક વર્ષ બાદ કાયદો લાગૂ થશે
જોકે આ કાયદો હાલ નહી પરંતુ એક વર્ષ બાદ લાગૂ કરવામાં આવી શકે છે. જો કોઈ પણ દંપત્તિ બે બાળકોના આ નીયમને અપનાવશે તો તેમને સસ્તા વ્યાજદરે હોમ લોન અપાવાનો પણ ઉલ્લેખ આ બિલમાં કરવામાં આવ્યો છે. તે સિવાય તમને વિજળીના બીલમાં તેમજ ટેક્સ બીલમાં મોટા પ્રમાણમાં રાહત મળી શકે છે.
IIM જેવી સંસ્થામાં મફત શિક્ષણ
ઉપરાંત જે દંપત્તિ પાસે એકજ બાળક હશે અને તેઓ નસબંધી કરવાશે. તો તેમને સ્વાસ્થ્યને લગતી વીમા પોલીસી જેવા ફાયદાઓ આપવામાં આવશે. બાળકના શિક્ષણને લઈને સરકાર દ્વારા મોટી મદદ કરવામાં આવશે. તેને આઈઆઈએમ તેમજ એઈમ્સ જેવી સંસ્થાઓમાં સરકાર દ્વારા મફત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્યનો પૂરો ખર્ચો સરકાર ઉઠાવશે
જે સરકારી કર્મચારીઓ બે બાળકોના માપદંડનું પાલન કરશે તેમને પણ સરકાર દ્વારા વધારે વેતન આપવામાં આવશે. સાથેજ તેમના સ્વાસ્થ્યને લઈને પણ પુરો ખર્ચો સરકાર દ્વારા ઉઠાવામાં આવશે. જે સરકારી કર્મચારીને માત્ર એક બાળક હશે તેને ચાર ગણું ઈન્ક્રીમેન્ટ આપવામાં આવશે.
સરકાર દ્વારા 80 હજારની સહાય
ગરીબી રેખા નીચે જીવતા દંપત્તિ જેમને એક બાળક છે, અને જો તેઓ નસબંધી કરાવે છે. તો તેમને 80 હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. બીલ પાસ થયા પછી જે સરકારી કર્મચારીઓને બે કરતા વધારે બાળકો છે. તે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓ બીલની વિરુદ્ધમાં જઈને કોઈ કાર્ય ન કરે.
નોકરીમાંથી બરખાસ્ત
બીલ પાસ કર્યા પછી જો કોઈ સરકારી કર્મચારી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને નોકરી માથી બરખાસ્ત કરવામાં આવશે તેવો બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથેજ ભવિષ્યમાં પણ તેઓ કોઈ સરકારી નોકરી માટે અરજી નહી કરી શકે.
ત્રીજા બાળકને દત્તક લઈ શકાશે
જોકે જે દંપત્તિએ બે બાળકો બાદ ત્રીજા બાળકને દત્તક લીધું હશે તેના પર આ કાયદો લાગુ નહી પડે અથવાતો બે બાળકો પૈકી એક બાળક દિવ્યાંગ હોવાને કારણે ત્રીજુ બાળક લાવનારા લોકો માટે પણ આ કાયદો લાગૂ નહી પડે. તે સિવાય પણ જો બે બાળકોના મૃત્યું બાદ ત્રીજુ બાળક જે દંપત્તિ લાવસે તેમના માટે પણ આ કાનૂન લાગૂ નહી પડે.