ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં 27 પર્વતારોહકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11 મૃતદેહો ઉત્તરકાશી લાવવામાં આવ્યા છે
ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં 27 પર્વતારોહકોના મોત
અત્યાર સુધીમાં 11 મૃતદેહો ઉત્તરકાશી લાવવામાં આવ્યા છે
મંગળવારે અહીં એક મોટો અકસ્માત થયો હતો
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમસ્ખલનમાં 27 પર્વતારોહકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11 મૃતદેહો ઉત્તરકાશી લાવવામાં આવ્યા છે અને તેમની ઓળખ કરી લેવામાં આવી છે. કેટલાક કલાકો સુધી ચાલેલા બચાવ અભિયાન બાદ NIM દ્વારા આ આંકડો જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે અહીં એક મોટો અકસ્માત થયો હતો. અહીં 17,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત દ્રૌપદીના ડાંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાતમાં ઘણા ટ્રેકર્સ ફસાયા હતા.
27 પર્વતારોહકોના મોત
NIM દ્વારા યાદી બહાર પાડવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમપ્રપાતમાં અત્યાર સુધીમાં 27 પર્વતારોહકોના મોત થયા છે. તેમાં બે પ્રશિક્ષકો અને 27 તાલીમાર્થી આરોહકોનો સમાવેશ થાય છે. પરંતુ મૃતદેહો લાવવામાં હવામાન અડચણરૂપ છે. તેથી ઉત્તરકાશીમાં અત્યાર સુધીમાં માત્ર 11 મૃતદેહો લાવવામાં આવ્યા છે.