ઉત્તરાખંડની સુરમાંથી 12 વધુ મૃતદેહ મળી આવ્યાં. બચાવ અભિયાનમાં વધુ તેજ બનાવાયું.
ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લા કુદરતી આફતને લઇને ચલામાં આવનાર અભિયાનના આઠમાં દિવસે એટલે કે રવિવારના રોજ ટનમાંથી 12 વધુ મૃતદેહ મળ્યાં. બચાવ કર્મીઓને સુરંગમાંથી મૃતદેહ મળી આવ્યાં છે. બચાવ દળે સુરંગમાં 75 મિલીમીટર વ્યાસનું 12 મીટર લાંબો હોલ પાડી દીધો ત્યારબાદ આ મૃતદેહ મળ્યાં. આ સાથે પૂરમાં મરનારા મૃતકોની સંખ્યા 50 થઇ ગઇ છે. જેમાં 5 મૃતદેહ 520 મેગાવોટની એનટીપીસીની તપોવન - વિષણુગાડ પરિયોજનાની સુરંગમાંથી જ્યારે છ રેણી ગામમાંથી અને એક રુદ્રપ્રયાગ જિલ્લામાંથી પ્રાપ્ત થયો.
ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી રહેલ બચાવ અને સર્ચ અભિયાન ચલાવી રહેલ ચમોલીની જિલ્લાધિકારી સ્વાતિ એસ ભદોરિયાએ લાપતા લોકોના મૃતદેહ મળી આતા બચાવ દળોને આ પ્રકારે જ ઝડપથી કામ કરવા જણાવ્યું. કુદરતી આફત વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી સેના, રાષ્ટ્રીય આપદા મચન દળ, રાજ્ય આફતા પ્રતિવાદન દળ અને ભારત-તિબ્બત સીમા પોલીસની સંયુક્ત બચાવ અભિયાન હાલ ચાલી રહી છે.
તપોવન સુરંગમાં જ્યાં પોકલેંડ અને જેસીબી મશીને યુદ્ધસ્તર પર કામ કરી રહ્યા છે તો ત્યારે નદી કિનારે જિલ્લા તંત્રના નેતૃત્વમાં શોધખોળનું કાય ઝડપથી ચલાવામાં આવી રહ્યું છે. જિલ્લાધિકારી સ્વાતિએ જણાવ્યું કે રેંણી ક્ષેત્રમાં રાષ્ટ્રીય કટોકટી મોચન દળની ટીમ કાટમાળમાં લાપતા લોકોની શોધખળ કરી રહી છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળ પર એક હેલિકોપ્ટર પણ તૈયાર છે જેથી કોઇને વ્યક્તિ જીવિત મળી આવે અને તેને તાત્કાલિક મેડીકલ સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.
7 ફેબ્રુઆરીના ચમોલી જિલ્લાની ઋષિગંગા ઘાટીમાં આવેલા પૂર પછી અત્યાર સુધીમાં 50 મૃતદેહ મળી આવ્યાં છે જ્યારે 154 હજુ પણ લાપતા છે.
રવિવારના રોજ મળેલા મૃતદેહમાંથી 11ની ઓળખ થઇ ગઇ છે. જેમાં ટિહરીના નિવાસી આલમસિંહ, જિતેન્દ્ર ધનાઇ, દેહરાદુનના કાલસીના અનિલ, જમ્મૃ-કાશ્મીરના જીતેન્દ્ર કુમાર, ફરીદાબાદના શેષનાથ, કુશીનગરના સૂરજ ઠાકૂર, પંજાબના જુગલ કિશોર, હિમાચલ પ્રદેશના રાકેશ કપૂર, ચમોલીના હરપાલ સિંહ, ગોરખપુરના રાજેન્દ્ર સિંહ અને ધનુર્ધારી સામેલ છે.