ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ એટલે પતંગ રસિયાઓનો તહેવાર.મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ તૈયારીઓમાં લાગી જાય છે.અને આજે એ દિવસ આવી ગયો છે.જો કે, કોરોનાના કહેરને કારણે ઉત્તરાયણમાં સરકારે અમુક પ્રકારના પ્રતિબંધો જાહેર કર્યા છે.જેમાં મિત્રોને તો બોલાવી નહીં જ શકાય.પરંતુ ડીજે પણ નહીં વગાડી શકાય.ત્યારે સરકારના આ પ્રતિબંધોની વચ્ચે પણ ગુજરાતીઓ પોતાના ઘરે જ ઉતરાયણની મસ્તીથી મોજ માણી રહ્યા છે.
10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
પતંગરસિકોમાં ઉત્તરાયણના પર્વને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર છે.આજે આખો દિવસ પતંગ ઉડાડવા માટે સારો અને અનુકુળ પવન રહેશે.આજે દિવસભર 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.સવારમાં ઉત્તરથી પૂર્વ તરફનો પવન રહેશે.જ્યારે બપોર બાદ પવનની દિશા બદલાશે તેવી શક્યતા છે...જો કે,પતંગ રસીયાઓને મજા પડી જાય તેમ આખો દિવસ અનુકુળ પવન ફુંકાતો રહેશે.
ઉત્તરાયણની ગાઈડલાઈન ખાસ વાંચી લેજો
રાજ્યમાં કોરોનાના કેસો વધી જતાં હવે રાજ્ય સરકારે ઉતરાયણના તહેવારના મામલે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં ખાસ કરીને સોસાયટી કે ફલેટના ધાબા પર ફલેટના રહીશો સિવાય બહારના મહેમાનોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ રહેશે, જો આ રીતે પ્રવેશ અપાયો તો સોસાયટીના કે ફલેટના કારભારીઓ સામે પગલે લેવાશે. માસ્ક પહેર્યા વિના ફલેટ કે સોસાયટીને ધાબા પર એકત્ર થઈ શકાશે નહીં. મકાન, ફલેટ, બંગલા કે સોસાયટીના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકશે નહીં કે DJ કે મ્યૂઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં. કોમી લાગણી દુભાય તેવા લખાણ પતંગ પર લખી શકાશે નહીં. 65 વર્ષથી વધુ વયના લોકો તેમજ 10 વર્ષથી ઓછી ઉમરના લોકોએ ધાબા પર ચડવું નહીં, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને બાળકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં 8 મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રી કફર્યુનો કડક હાથે અમલ કરવાનો રહેશે ચાઈનીઝ દોરી, તુક્કલ, પ્લાસ્ટિક-કાચવાળી કે સિન્થેટીક દોરીના વપરાશ પર પ્રતિબંધ