એક કિલો દોરી પર કિલો સુરતી લોચો અને 500 ગ્રામ દોરી આપો, 500 ગ્રામ ખમણ લઈ જાઓ, સુરતમાં પક્ષી પ્રેમીની અનોખી પહેલ
દોરી લાવો ખમણ લઈ જાઓ
દોરીથી પક્ષીઓને બચાવવા અલગ જ ઓફર
પક્ષીઓને બચાવવા માટે આપી ઓફર
14મી જાન્યુઆરી એટલે દેશભરમાં મકરસંક્રાતિનું પર્વ.આ પર્વ પર દાન-પૂર્ણ્ય કરવાનો મહિમા છે.ગુજરાતમાં 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો ઉત્સવ.એવો ઉત્સવ કે જાણે આકાશમાં યુદ્ધ જામે.પતંગ અને દોરી રૂપી મિસાલો એકબીજા પર છોડવામાં આવે અને સામેવાળાની તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવે.અને પતંગના આ યુદ્ધમાં અનેક પક્ષીઓ ઘાયલ થાય છે.અને મૃત્યુ પણ પામે છે.આપણી મજાનો તહેવાર પંખીઓ માટે સજા બની જાય છે.ત્યારે સુરતના એક પક્ષી પ્રેમી છે અને વેપારીએ અનોખી ઓફર લોકોને આપી છે.
જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી આ સેવાની ઓફર
ઉત્તરાયણ એટલે ગુજરાતીઓ માટે જાણે સૌથી મોટો અને પ્રિય તહેવાર.આ તહેવારની રાહ તો જાણે આખુ વર્ષ બાળકોથી લઈ યુવાનો જોઈ રહ્યા હોય છે.અને જેઓ આ તહેવાર નજીક આવે તેની સાથે જ બજારોમાં મોટી ભીડ ઉમટી પડે છે.યુદ્ધ માટે હથિયારોની ખરીદી કરવાની હોય તેમ.દોરી-પતંગ લેવા માટે લોકો પડાપડી કરે છે.અને આ ખરીદી પછી યુદ્ધની તૈયારીના સસ્ત્રોને સજાવવાના હોય તેમ પતંગોની કિન્ના બાંધવા માટે યુવાનો લાગી જાય છે.અને આ બધી તૈયારી પછી જ્યારે ઉત્તરાયણની સવાર પડે તેની સાથે જ આકાશમાં એવું ભીષણ યુદ્ધ જામે છે તે ચારે બાજુથી લોકો બુમો પાડવા લાગે છે.પતંગ ઉડાડવાની અને પછી બીજાના પેચ કાપવાની અલગ મજા આપતો આ તહેવાર પક્ષીઓ માટે સજા બની જાય છે.ત્યારે સુરતના આ છે પક્ષી પ્રેમી ચેતનભાઈ પટેલ.ચેતન પટેલ ફરસાણની એક દુકાન ચલાવે છે.અને તેમણે ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પોતાની દુકાન પર ખાસ સ્કીમ મુકી છે.ખાણી-પીણીના શોખિન સુરતીઓ નાસ્તામાં તો ક્યારેય પાછા પડતા નથી.ત્યારે ચેતન પટેલે સ્કીમ મુકી છે કે જે પણ વ્યક્તિ દોરી ગૂંચ લઈને આવશે તેમને ખમણ ફ્રીમાં આપવામાં આવશે.રસ્તામાં રઝળતી, અને આમ તેમ પડેલી દોરી જે પક્ષી માટે ઘાતક બને છે આવી 500 દોરી જે પણ વ્યક્તિ દુકાન પર લાવશે તેને 500 ખમણ ફ્રી અપાશે.જો કિલો લાવશે તો કિલો ખમણ નહીં તો ચીઝ રોલ લોચો ફ્રી આપવામાં આવશે.
લોકો આ પહેલને પસંદ કરી રહ્યા છે
ફરસાણની દુકાન ચલાવતા ચેતન પટેલની આ પહેલ ખુબ જ સારી છે.અને બિરદાવવા લાયક છે.કારણ કે રસ્તામાં પડેલી, ધાબા પર પડેલી કે, પછી વૃક્ષ કે તાર પર લટકતી દોરી પક્ષીઓને ઘાયલ કરે છે.અને મૃત્યુ પણ પામે છે.તો ઘણીવાર આ દોરી લોકો માટે પણ આફત નોતરે છે.ત્યારે સુરતમાં કરવામાં આવેલી આ પહેલ લોકોને પસંદ પડી રહી છે.અને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
દોરી દૂર કરવાનું એક નાનકડું કામ
આપણે સૌ લોકોએ વધારે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં.પણ આપણી આસપાસ જ્યાં પણ દોરી દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરી દેવો જોઈએ.રસ્તામાં પડેલી, આમ તેમ લટકતી પછી આપણા ધાબામાં જ રહેલી દોરીની ગૂંચથી પક્ષીઓ તેમાં ફસાઈ જાય છે.અને મૃત્યુ પામે છે.તો આપણે પણ દોરી દૂર કરવાનું એક નાનકડું કામ કરી પક્ષીઓને જીવ બચાવીએ.અને આપણી પ્રકૃતિને ધબકતી રાખીએ.