ગુજરાતમાં રિવર ફ્રન્ટ ઉપર યોજાતો પતંગોત્સવ કોરોનાની મહામારીને કારણે કેન્સલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં ઉત્તરાયણ યોજાશે કે નહીં. તે અંગે અવઢવ ચાલી રહી છે ત્યારે ઉત્તરાયણને લઈને એક્શન પ્લાન સામે આવ્યો છે.
ઉત્તરાયણને લઇ 108નો એક્શન પ્લાન
622 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે
ઉત્તરાયણને લઈ 10 વર્ષના ડેટાનું વિશ્લેષણ
ઉત્તરાયણને લઇને 108નો એક્શન પ્લાન તૈયાર છે. 108ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. જેમાં 622 જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લામાં કાર્યરત રહેશે.
ક્યા જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો સમગ્ર ડેટા તૈયાર કરાયો છે. 2021ની ઉત્તરાયણને લઈ 10 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે હિસાબથી 622 એમ્બ્યુલન્સ અને 4 હજાર સ્ટાફ ખડેપગે રહેશે.
2020 કરતા 2021માં કોલ ઓછા આવશે તેવી આશા સેવાઈ રહી છે કારણ કે કોરોનાની મહામારીને પગલે માર્કેટમાં મંદી જોવા મળી રહી છે અને ઉત્તરાયણનો કાઈટ ફેસ્ટિવલથી લઈને પતંગોત્સવના જાહેર કાર્યક્રમ પણ રદ્દ થયા છે.
પક્ષીઓ પ્રત્યે પણ દાખવવામાં આવશે દયા
પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે જે માટે 50 વધુ એમ્બ્યુલન્સ કરુણા અભ્યાન માટે ફાળવવામાં આવશે.
ઉત્તરાયણની ઉજવણીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે તેને લઈને હાઈકોર્ટ આજે સુનવણી હાથ ધરશે. રાજ્ય સરકાર પણ આ અંગે પોતાનો જવાબ રજૂ કરશે. ઉજવણીનું આયોજન કેવી રીતે કરાશે તે મુદ્દે સરકાર દ્વારા આજે જવાબ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે તથા તેની રોક લગાવવાની અરજીના વિરોધમાં વેપારીઓએ પણ અરજી કરી છે. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટ શું સ્ટેન્ડ લેશે તે જોવું રહ્યું