ઉત્તરાખંડમાં ભારે વરસાદનાં કારણે ધારચૂલાનાં જુમ્મા ગામમાં સાત જેટલા મકાનો પડી જતાં સાત લોકો દબાઈ ગયા હોવાની આશંકા ઊભી થઈ હતી.
ઉત્તરાખંડના પીથોરાગઢમાં રવિવારે મોડી રાત્રે ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ હતી.
ધરચૂલાની ઘટના
ઉત્તરાખંડ ધારચૂલાનાં જુમ્મા ગામમાં જામુની તોકમાં લગભગ પાંચ અને સીરૌઉડયાર તોકમાં બે મકાનો પડી જતાં સાત લોકો દબાઈ ગયા હોવાની આશંકા ઊભી થઈ હતી. હજુ સુધીમાં અહીં બે બાળકોનાં શબ મળી આવ્યા હતા.
જિલ્લા અધિકારી ડો. આશિષ ચૌહાને કહ્યું હતું કે મોડી રાત સુધી જુમ્મા ગામમાં અતિવૃષ્ટિનાં કારણે 7 લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હોવાની સૂચના મળી હતી. સૂચના મળ્યા બાદ તાત્કાલિક ઘટના ક્ષેત્રમાં પોલીસ, એસડીઆરએફ અને રેસ્ક્યૂ ટીમ રવાના થઈ હતી. એનડીઆરએફની એક ટીમ પણ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ દરમિયાન ગામમાંથી બે ડેડ બોડીઝ પણ મળ્યા હતા.
સીએમ ધામીએ લીધી જાણકારી
આ ઘટનાની જાણકારી મળતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પીથોરાગઢ જિલ્લા અધિકારી ડો. આશિષ ચૌહાણ પાસેથી ફોન પર વાત કરીને તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સીએમ દ્વારા તાત્કાલિક તમામ સંભવિત મદદ કરવાની પણ બાહેંધરી આપવામાં આવી હતી અને પ્રબંધ પણ કરવામાં આવ્યો હતો.
पिथौरागढ़ जनपद के जुम्मा गांव के पास भूस्खलन की वजह से 2 लोगों की दुखद मौत एवं 5 अन्य की मलबे में दबे होने की खबर है।
इस विषय में जिलाधिकारी से बात कर रेस्क्यू मिशन तेज करने का निर्देश दिया है। मैं वहां फंसे लोगों की सलामती के लिए ईश्वर से प्रार्थना करता हूँ।
નૈનીતાલ અને પિથોરાગઢમાં ભારે વરસાદનાં પગલે યલો એલર્ટ
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના નૈનીતાલ અને પિથોરાગઢ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
જ્યાં સુધી રાજધાની દૂનનો સવાલ છે, હવામાનશાસ્ત્રીઓએ રાજધાની દૂન અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.