ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટનામાં જામનગરના બે યુવાનો ટ્રેકિંગ માટે પણ પહોંચ્યા હતા. આ યુવાનો સાથે અન્ય લોકો પણ ઘટના સ્થળ નજીક હતા. ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટના સમયે જ એ ગુજરાતીઓ પણ ફસાયા હોવાની વાત સામે આવી હતી. જામનગરના બે યુવાનો પણ ઘટનાસ્થળ નજીક ટ્રેકિંગમાં પહોંચ્યા હતા. અને ઘટના બાદ બંને યુવાનોનો સંપર્ક થઈ રહ્યો નથી.
જેને લઈ તેમના માતા-પિતા ચિંતિત બની ગયા છે. જામનગરના યુવાનો તરફથી અન્ય માધ્યમો દ્વારા સંદેશો મળ્યો કે તે સુરક્ષીત છે. ટ્રેકિંગ સાઈટ પર નેકવર્ક ન હોવાથી તેઓનો સંપર્ક થઈ શકતો નથી. જામનગરના યુવાનના પિતાએ Vtv સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 2 તારીખે તેઓ ટ્રેકિંગ માટે ગયા હતા. આ ઘટના બાદ તેમનો સંપર્ક થઈ રહ્યો નહોતો. અન્ય માધ્યમથી સંદેશો મળ્યા બાદ જાણવા મળ્યું કે, ઘટનાસ્થળથી યુવાનો દૂર છે.