ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટવાથી અત્યાર સુધીમાં 51ના મોત યુપીના 64 લોકો હજું પણ ગુમ છે. ચમોલી પોલીસે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 12 લાશોની ઓળખ થઈ શકી છે.
ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓથી 64 લોકો ગુમ છે
રેણી ગામની પાસે 7 લોકોના મૃતદેહો મળ્યા હતા
વિનાશ બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હજું પણ ચાલૂ
રેણી ગામની પાસે 7 લોકોના મૃતદેહો મળ્યા હતા
ઉત્તરાખંડના ચમોલીમાં ગત દિવસોમાં ગ્લેશિર ફાટવાથી થયેલા વિનાશ બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હજું પણ ચાલૂ છે. આ વિનાસના એક અઠવાડિયા બાદ પણ ઉત્તર પ્રદેશના વિભિન્ન જિલ્લામાંથી લગભગ 64 લોકો ગુમ છે. ચમોલીની ડીએમ સ્વાતિ ભદોરિયાના જણાવ્યાનુંસાર વિનાસના એક અઠવાડિયા બાદ પર રવિવારે 13 મૃતદેહો બહાર કાઢ્યા હતા. રેણી ગામની પાસે 7 લોકોના મૃતદેહો મળ્યા હતા. ત્યારે તપોવન ટનલ ની પાસે 6 મૃતદેહોમળી આવ્યા હતા. આ સાથે મળેલા મૃતદેહોની સંખ્યા 51 થઈ ગઈ છે.
64 વિશે કોઈ જાણકારી નથી મળી
રાહત આયુક્ત સંજય ગોયેલે કહ્યું કે ઘટનામાં ગુમ કુલ 92 લોકોમાંથી 64 વિશે અમને કોઈ જાણકારી નથી મળી. લખીમપુર ખીરીમાં સૌથી વધારે 30 લોકો ગુમ છે. તે બાદ સહારનપુરના 10 અને શ્રાવસ્તીના 5 લોકો ગુમ થવાની જાણકારી મળી છે. ગોયલે કહ્યું કે લખમીનપુર ખીરીના ગુમ લોકોમાંથી 23ની જાણકારી મળી ગઈ છે. તેમના પાછા લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
5 મૃતકોની લાશની ઓળખ થઈ
ગુમ લોકોમાં 5ના મોતના સમાચાર છે. મૃતકોની ઓળખ લખીમપુર ખીરીના અવધેશ(19), અલીગઢના અજય શર્મા( 32), લખીમપુર ખીરીના સૂરજ (20), સહારનપુર નિવાસી વિક્કી કુમાર અને લખીમપુર ખીરીના વિમલેશ (22)ના રુપમાં થઈ છે.
ટનલની અંદર લોકોની શોધ ચાલૂ
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે તપોવન ટનલમાં 7 ફેબ્રુઆરીએ રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. રવિવારે 2 શવ ટનલની બહાર કાઢ્યા. ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફના જવાન રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા છે. એનડીઆરએફ હવે કેમેરાના માધ્યમતી ટનલની અંદર લોકોની શોધ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ગુમ અને મૃત મજૂરોમાં વધારે અનટીપીસીના તપોવન વિષ્ણુગાડ પનવીજળી પરિયોજના અને ખાનગી માલિકીની ઋષિગંઘા વીજળી પરિયોજનામાં કામ કરી રહ્યા હતા.
12 મૃતદેહોની ઓળખ
ચમોલી પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 મૃત દેહોની ઓળખ થઈ છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ITBPના જવાનો પુરી રીતે લાગેલા છે. સાથે આ જવાન અસરગ્રસ્ત નાગરિતોને રાશન અને જરુરી સમાન પણ પુરો પાડી રહ્યા છે. ડીએમનું કહેવું છે કે શોધ અભિયાન તેજીથી ચલાવાઈ રહ્યું છે. બેક અપમાં સાતએમ્યૂલેન્સ, પોસ્ટમોર્ટમ ટીમ અને એક હેલીકોપ્ટર પુણ રાખવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ જીવતું મળે છે તો તેને તાત્કાલીક સારવાર માટે મોકલી દેવાની વ્યવસ્થા છે.