રાજ્યમાં હાલ ન કોઈ નેતૃત્વ પરિવર્તન થશે અને ન મંગળવારના ધારાસભ્યોના દળની બેઠક બોલાવવામાં આવશે. પાર્ટી નેતૃત્વના આ મુદ્દા પર ગહન મંથન બાદ નિર્ણય અને મંત્રિમંડળ વિસ્તારના માધ્યમથી વિવાદને ખતમ કરવાનો વિકલ્પ પણ અપનાવવાનો સંકેત આપ્યો છે.
સીએમની નડ્ડાની સાથે 2 કલાક બેઠક થઈ
રાજ્યમાં જારી રાજકીય ઉથલપાથલ પર રાજધાનીમાં દિવસભર બેઠકનો દોર જારી રહ્યો. કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અચાનક દિલ્હી યાદ કરી રાજ્યની રાજકીય ધડકન વધારી દીધી હતી. સંસદ ભવનમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રીની સાથે સંગઠન મહાસચિવ બીએલ સંતોષની પર્યવેક્ષક ડો. રમન સિંહ અને પ્રભારી દુષ્યંત ગૌતમના રિપોર્ટ પર મૈરેથોન બેઠક થઈ. આ દરમિયાન સંસદ ભવનમાં પીએમ મોદી પણ હાજર રહ્યા. આ દરમિયાન સીએમ કોઈ કાર્યક્રમ નક્કી કર્યા વગર રાજ્યસભા સાંસદ અનિલ બલૂનીને મળવા પહોંચ્યા હતા. બલૂનીની સાથે એક કલાકની બેઠક બાદ સીએમની નડ્ડાની સાથે 2 કલાક બેઠક થઈ. સીએમએ મીડિયાને વાતચીત માટે બોલાવ્યા.
આશા હતી કે સીએમ પોતે મીડિયાની સામે આવશે. થોડી વાર બાદ સીએમે પોતાનો પક્ષ રાખવા માટે નજીકના ધારાસભ્ય મુન્ના સિંહ ચૌહાનને મોકલ્યા. ચૌહાને સીએમ પ્રત્યે અસંતોષ સંબંધી સમાચારોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે સીએમની વિરુદ્ધ કોઈ અસંતોષ નથી અને મંગળવારે ધારાસભ્ય દળની બેઠક પણ નથી બોલાવવામાં આવી. તેમણે કહ્યું કે નીતિગત મામલામાં પાર્ટીના સંસદીય બોર્ડ નિર્ણય લે છે. સંસદીય બોર્ડના નિર્ણયની જાણકારી અમને નથી.
સંકટ ટળ્યુ છે ખતમ નથી થયો મામલો
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે સોમવારે જે નિર્ણય થયો છે તે અસ્થાયી છે. અંતિમ નિર્ણય લેતા પહેલા કેન્દ્રીય નેતૃત્વના કોઈ પક્ષોને જોવાનું છે. રાજ્યમાં આવનાા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં નવા ચહેરા ઉતારવાનું રિસ્ક લઈ શકાય છે કે કેમ? શું આ પૂરા વિવાદને મંત્રિમંડળ વિસ્તારના માધ્યમથી અસંતુષ્ટોને ખુશ કરી ખતમ કરી શકાય છે? ત્યારે સવાલ છે કે જાતિગત સમીકરણનો પણ છે. રાજ્યામાં જાતિગત અસરને જોતાને જોતા તે રાજપૂતો અને બ્રાહ્મણ સમુદાયોમાં સંતુલન બનાવવું જરુરી છે. આને ધ્યાનમાં રાખી બ્રાહ્મણ સીએમ હોવા પર રાજ્ય અધ્યક્ષના પદ રાજપુતને અને આનાથી ઉલટ વર્તમાન સ્થિતની જેમ રાજપૂત સીએમ હોવાની સ્થિતિમાં બ્રાહ્મણ સંગઠનની કમાન મળે છે. આ પ્રમાણે નેતૃત્વ જો બ્રાહ્મણના હાથમાં સરકારની કમામ આપે છે તો તેને વર્તમાન બ્રાહ્મણ પ્રદેશ અધ્યક્ષને બદલવી પડશે. એ બાદ રાજપૂતોમાં સીએમ પદના અનેક દાવેદાર છે. આમાંથી એક કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. જ્યારે બીજાના કદ ત્રિવેન્દ્રથી મોટું નથી. આ જ કારણ છે કે હવે આ મામલામાં કેન્દ્રીય નેતૃત્વના વિસ્તારથી મંથન કરવાનો નિર્ણય કર્યો છે.