ઉત્તરાખંડ દૂર્ઘટનામાં મૃતકોનો આંકડો 14 પર પહોંચ્યો છે. તપોવન સુરમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલો
અત્યાર સુધી 14 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
10 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની સત્તાવાર માહિતી
અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળી આવ્યા, 180 લોકો હજુ લાપતા
ઉત્તરાખંડના ગ્લેશિયર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ 180 લોકોની શોધખોળ ચાલી રહી છે.
100 મીટરથી આગળ ન જઇ શકી રેસ્ક્યૂ ટીમ
તોપવન સુરંગ નંબર 2માં ભારે કાદવ અને કીચડના કારણે અંદર જઇ રહેલી રેસ્ક્યૂ ટીમને પરત ફરવું પડ્યું છે. આ ટીમ વિશેષ કેમેરા, સ્નિફર ડૉગની સાથે અંદર જવાના પ્રયાસ કરી રહી હતી. ઑક્સીજન સિલિન્ડરથી સજ્જ આ ટીમની ભારે મહેનત બાદ 100 મીટરથી આગળ ન જઇ શકી. ત્યારબાદ આ ટીમને પરત ફરવું પડ્યું. હવે મશીનો દ્વારા કાદવ અને કાટમાળને સાફ કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યું
ચમોલી દૂર્ઘટનાને લઇને ઉત્તરાખંડ પોલીસ દ્વારા હાલમાં નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ટ્વિટ કરી જણાવામાં આવ્યું છે કે દૂર્ઘટનામાં અત્યાર સુધી 202 લોકો લાપતા હોવાની સૂચના છે, જ્યારે 19 મૃતદેહ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે તપોવન ટનલમાં સતત રાહત અને બચાવ કાર્ય તેજીથી કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 100 મીટર સુધી ટનલની સફાઇ થઇ ગઇ છે, અહી અંદાજે 37 લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
कल के हादसे में अभी तक लगभग 202 लोगों के लापता होने की सूचना है, वहीं 19 के शव अलग अलग स्थानों से बरामद किए गए है। शोक और दुःख की इस घड़ी में प्रशासन आपके साथ है, कृपया सहयोग बनाए रखें। राहत-बचाव कार्य त्वरित रूप से जारी है। @Ashokkumaripspic.twitter.com/jOVa65M175
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યાં અનુસાર ગઇકાલે ઘટેલી કુદરતી આફત સામે ઘણી ખરી હદ સુધી સફળતા મળી ગઇ છે. અંદાજે 202 લાપતા લોકોમાંથી સતત લોકો રિપોર્ટ કરી રહ્યાં છે, તપોવનના નાના ટનલથી રેસ્કયૂ કરી 12 લોકોને સહી સલામત બચાવામાં આવ્યાં છે, બીજી ટનલના ધારાશાયી ભાગને દૂર કરવામાં આવી રહ્યો છે.
कल हुए प्राकृतिक आपदा से हम बहुत हद तक निपट चुके हैं।लगभग 202 लापता लोगों में से लगातार लोग रिपोर्ट कर रहे हैं। तपोवन के छोटे टनन से रेस्क्यू कर 12 लोगों को सही सलामत बचाया गया है, दूसरे टनल के मलबे को निकाला जा रहा है। अब स्थिति सामान्य है। पुलिस की टीम राहत बचाव में लगी हुई है। pic.twitter.com/494lPyLtRZ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડને લઇને ટવિટ કર્યું અને કહ્યું કે દેશ ઉત્તરાખંડની સાથે છે. આ સમયે સૌથી જરુરી છે કે આવનારા દિવસ રાહત કાર્યમાં કોઇ મુશ્કેલી ના આવે.
पूरा देश उत्तराखंड के साथ है।
इस समय सबसे ज़रूरी है कि आने वाले कुछ दिन राहत कार्य में कोई बाधा ना आए।
मैं पूरे दिल से प्रभावितों के साथ हूँ और आपकी सुरक्षा की कामना करता हूँ।
આપત્તિ ગ્રસ્ત વિસ્તારનું નિરક્ષણ કરવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે આ ઘણી કઠિન પરિસ્થિતિ છે, પરંતુ ITBPએ પહેલી સુરંગમાં સફળતાપૂર્વક લોકોને બહાર નિકાળી લીધા છે. હવે તેઓ બીજી ટનલ પર કામ કરી રહ્યાં છે. NDRF અને સેના પણ રાહત બચાવ કાર્યમાં લાગેલી છે. બપોર સુધીમાં સકારાત્મક પરિણામ આવવાની શક્યતા છે.
It's a very difficult situation, but ITBP successfully rescued people from 1st tunnel & now they're working on 2nd tunnel which is approx 3 km long. NDRF&military are also on it. By afternoon we can expect some positive results: Union Min Ramesh Pokhriyal Nishank in Uttarakhand pic.twitter.com/4clLhCiFHP
ચમોલીની પાસે આવેલા રેની ગામમાં હવે રેસ્કયૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અહીં ઋષી ગંગા પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યાં કેટલાંક લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીમાં રેણી ગામમાં ઋષિ ગંગાના ઉદગમ સ્થાન નજીક ગઇકાલે સવારે 9.15 વાગે ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ઋષિગંગામાં પડી ગયો હતો. જે બાદ નદીમાં ભારે પૂર આવ્યું હતું.
टनल में फंसे लोगों के लिए राहत एवं बचाव कार्य जारी। जेसीबी की मदद से टनल के अंदर पहुंच कर रास्ता खोलने का प्रयास किया जा रहा है।
अब तक कुल 15 व्यक्तियों को रेस्क्यू किया गया है एवं 14 शव अलग-अलग स्थानों से बरामद किये गये हैं।#tapovanrescue#Chamoli#Uttarakhand_Disasterpic.twitter.com/szSaxJfEy7
સોમવારે સવારે એકવાર ફરી તપોવન સુરંગની પાસે રેસ્કયૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અહી મોટા મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી મોટા પથ્થરો વગેરે હટાવી શકાય. ચમૌલી પોલીસના અનુસાર અત્યાર સુધીમાં 14 મૃતદેહ અલગ-અલગ સ્થાનો પરથી પ્રાપ્ત થયા છે. જ્યારે સુરંગમાં કુલ 15 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે.
Aerial rescue & relief missions have resumed with Mi-17 & ALH helicopters flying from Dehradun to Joshimath with disaster relief teams on board. pic.twitter.com/64HDOqZCbN
ભારતીય વાયુસેના પણ હાલ બચાવ કાર્યવાહીમાં જોડાયું છે. વાયુસેના દ્વારા દહેરાદુન થી જોશીમઢ સુધી બચાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલે રાહત કાર્યમાં જોડાયાં છે. સંપર્ક વિહાણા ગામડાઓમાં રાશન પહોંચાડવામાં આવશે.
#WATCH Uttarakhand: ITBP jawans clearing the tunnel in Tapovan, Joshimath.
રેસ્કુય ઓફરેશનમાં જોડાયેલી ITBPની ટીમ મુજબ એક સુરંગમાં અંદાજે 30 લોકો ફસાયેલા છે. 300 જવાનો ટનલ સાફ કરવામાં લાગ્યાં છે. સ્થાનિક તંત્રના જણાવ્યાં મુજબ અંદાજે 170 લોકો લાપતા છે. ગત દિવસ 12 લોકોને બચાવામાં આવ્યાં છે, આ એક બીજી ટનલ હતી.
વધી રહ્યું જળસ્તર
SDRFના જણાવ્યાં મુજબ અલકનંદનું જળસ્તર વધી રહ્યું છે. ટનલવાળા વિસ્તારમાં જ્યાં દોલી ગંગા મળે છે ત્યાં જળસ્તર વધ્યું છે. ચમોલી પોલીસના અધીક્ષક યશવંત સિંહા ચૌહાણના આદેશઅનુસાર પોલીસ દ્વારા નદીના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યાં છે.
ઋષિ્ગંગા પ્રોજેક્ટને થયું ભારે નુકસાન
આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા 13 મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. જ્યારે NTPCની તપોવનમાં 500 મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે. બન્ને પરિયોજનામાં કામ કરતા 155થી વધુ શ્રમિક અને સ્થાનિક લોકો ગુમ થયાની આશંકા છે.
10 લોકના મૃતદેહ મળ્યાં
અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સુરંગમાંથી 16 કર્મચારી સહિત 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કુદરતી હોનારતની જાણ થતાં જ ITBP, BRO, NDRF અને SDRFની ટીમને બચાવવામાં જોતરાઈ છે. નૌસેના પણ શોધખોળમાં જોતરાઈ છે.. કુદરતી હોનારતથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.