ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હાઈ કોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપની તપાસ સીબીઆઈને સોંપી છે. કોર્ટે સીબીઆઈને એફઆઈઆર દાખલ કરવા સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત પર લાગેલા કરપ્શનના આરોપોની તપાસ કરવા કહ્યું છે.
શર્માની વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદને રદ્દ કરવા આદેશ
તમામ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવામાં આવે- કોર્ટ
કોઈ પણ પ્રકારની શંકા ખતમ થાય- કોર્ટ
હાઈકોર્ટે આ આદેશ પત્રકાર ઉમેશ શર્માની વિરુદ્ધ રાવતની છબી ખરડાવવાના મામલે દાખલ કરેલી ફરિયાદને રદ્દ કરતા આપ્યો છે . શર્માની વિરુદ્ધ દહેરાદુનના એક પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆરને રદ્દ કરવાના આદેશ આપતા ન્યાયમૂર્તિ રવિન્દ્ર મેઠાણીની એકલ પીઠે એમ પણ કહ્યું કે તમામ દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવામાં આવે.
શર્મા વિરુદ્ધની ફરિયાદમાં કહેવામાં આવ્યું હતુ કે પત્રકાર સોશિયલ મીડિયાના માર્ફતે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતના નામે પૈસાની લેણદેણમાં ખેંચી તેમની છબી ખરડી રહ્યો છે.
કોર્ટે પત્રકારની અરજી સ્વીકાર કરતા કહ્યું કે સીએમ પર લાગેલા આરોપ ગંભીર છે. આની તપાસ થવી જોઈએ અને સત્ય સામે આવવું જરુરી છે. આ રાજ્યના હિતમાં જ રહેશે. કોઈ પણ પ્રકારની શંકા ખતમ થાય. એટલા માટે કોર્ટનું માનવું છે કે સીબીઆઈએ આ મામલામાં એફઆઈઆર દાખલ કરવી જોઈએ અને સમગ્ર તપાસ કરવી જોઈએ.