ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારે દેવસ્થાન બોર્ડનો ભંગ કર્યો હતો. આ નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રીએ પોતે જ કરી હતી.
ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારની જાહેરાત
દેવસ્થાન બોર્ડનો ભંગ
ચૂંટણી વખતે પણ ચર્ચાયો હતો મુદ્દો
ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારે દેવસ્થાન બોર્ડનો ભંગ કર્યો હતો. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પોતે જ તેની અધિકૃત ઘોષણા કરી હતી. સીએમ ધામીએ કહ્યું હતું કે અમારી સરકારે ચાર ધામ દેવસ્થાન પ્રબંધન બોર્ડ બીલ પાસ કરવાનો નિર્ણય કર્યો છે.
દેવસ્થાનમ બોર્ડ એક્ટ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની સરકારમાં બન્યું હતું. ત્યાર બાદ બે વર્ષ પહેલા દેવસ્થાનમ બોર્ડની સ્થાપનાં કરવામાં આવી હતી. તે ચાર ધામો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સાથે જોડાયેલ 51 મંદિરોની દેખરેખ કરે છે. પુરોહિત આ બોર્ડના ગઠનનો વિરોધ કરી રહ્યા હતા. તેમનું એવું કહેવાનું હતું કે આ બોર્ડે મંદિરો પર તેમના પરંપરાગત અધિકારોને ખતમ કરી દીધા હતા.
હરીશ રાવતે પહેલા જ કરી દીધી હતી જાહેરાત
વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દેવસ્થાનમ બોર્ડનો મુદ્દો ઘણો ઉઠાવવામાં આવી રહ્યો હતો.
કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હરીશ રાવતે પહેલા જ જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેવસ્થાનમ બોર્ડને ખતમ કરી દેવામાં આવશે. જેના કારણે પણ ધામી સરકાર પર મોટું દબાણ હતું.
ભાજપ વિરુદ્ધ પ્રચારની શંકા હતી
અગાઉ, ઉત્તરાખંડના ચાર ધામના પૂજારીઓના સંગઠને પણ કહ્યું હતું કે તે ચૂંટણીમાં તેઓ 15 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. આ પૂજારીઓ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત દેવસ્થાનમ બોર્ડનો વિરોધ કરી રહ્યા હતા. આ માટે, પૂજારીઓએ ચાર ધામ તીર્થ પુરોહિત હક હકુકધારી મહાપંચાયત સમિતિની રચના કરી. સમિતિએ કહ્યું કે તે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. જેના કારણે એક પ્રકારનું પ્રેશર સરકાર પર રચાઇ ગયું હતું.