ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને લઈને એસઓપી જાહેર કરી છે. આ સમયે મૂર્તિ, ઘંટડી અને ગ્રંથોને અડવાની મંજૂરી આપવામાં આવી નથી.
ચારધામ યાત્રા માટે સરકારે જાહેર કરી SOP
પ્રસાદ અને તિલકને લઈને બન્યા આ નિયમો
જાણો કોને નહીં મળે એન્ટ્રી
ઉત્તરાખંડમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને આગામી 14મેના રોજ ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે આ માટે રાજ્ય સરકારે એસઓપી જાહેર કરી છે. સરકારના દિશા નિર્દેશના આધારે મહામારીને રોકવા માટે આ વખતે ચારધામ યાત્રામાં સામાન્ય લોકોની અવર જવર પર પાબંધી રહેશે. મંદિર પરિસરમાં ન તો પ્રસાદ વહેંચી શકાશે અને ન તો કોઈને તિલક કરાશે. ગર્ભગૃહ સુધી ફક્ત મંદિર પ્રબંધન સાથે જોડાયેલા લોકોને જવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં મૂર્તિ, ઘંટડી કે ધાર્મિક ગ્રંથોને પણ અડવાની પરમિશન મળી નથી. સરકારે કહ્યું છે કે સામાન્ય લોકોને માટે ચારધામ યાત્રા માટે છૂટ આપવાને લઈને ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલમાં કોઈને મંજૂરી અપાશે નહીં.
ગાઈડલાઈન અનુસાર કોરોના રિપોર્ટ રહેશે જરૂરી
એસઓપીના આધારે કેવલ રાવલ, પુજારીગણ અને મંદિરો સાથે જોડાયેલા સ્થાનિક હક હક્કૂ ધારી, પંડા પુરોહિત, કર્મચારી અને અધિકારી જ જઈ શકશે. એટલું નહીં દરેક વ્યક્તિએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચારધામમાંથી યમુનોત્રીના કપાટ 14મેના રોજ ખુલી રહ્યા છે. આ સિવાય 15 મેના રોજ ગંગોત્રી, 17 મેના રોજ કેદારનાથ અને 18 મેના રોજ બદ્રીનાથના કપાટ ખૂલશે.
ચારધામ યાત્રાની સફર
2013માં કેદારનાથ ત્રાસદી બાદ ચારધામ યાત્રાને સૌથી મોટું નુકસાન થયું છે. ગયા વર્ષે કોરોનાના કારણે યાત્રા પર ફરક પડી અને સાથે એક વર્ષ પછી યાત્રા કોરોનાથી પ્રભાવિત થઈ રહી છે. આ પહેલા 2019માં લગભગ 32 લાખ યાત્રીઓએ ચારધામ યાત્રા કરી હતી.