ઉત્તરાખંડના જોશીમઠમાં ગ્લેશિયર ફાટતા 150થી વધુ લોકો તણાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં તો આ જળપ્રલયના દ્રશ્યો ખરેખર ડરામણા છે.
ઉત્તરાખંડમાં હોનારત બાદ 10 મૃતદેહ મળ્યા
વાયરલ થયેલી તસવીરો કાળજું કંપાવે તેવી
મુખ્યમંત્રીએ ધીરજ રાખવાની કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર ફાટવાના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરનો માહોલ સર્જાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે લોકોને ધીરજ રાખવા અપીલ કરી છે.
અસરગ્રસ્ત માટે જાહેર કરાયો હેલ્પલાઇન નંબર
ગ્લેશિયર તૂટવાના કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા બાદ સરકારે ગઢવાલ ક્ષેત્રમાં એલર્ટ જારી કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદ માટે હેલ્પલાઈન નંબર પણ ખોલવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે અસરગ્રસ્તો હેલ્પલાઇન નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટવાથી મોટી હોનારત સર્જાઇ છે. ચમોલી જિલ્લા જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીમાં પુર આવી ગયું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ઘટના સ્થળે પહોંચીને માહિતી મેળવી છે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી છે.
10 મૃતદેહ મળ્યા
ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી થયેલ હોનારત બાદ 10 મૃતદેહ મળ્યા છે, તપોવન ટનલમાં 15-20 લોકો ફંસાયા છે, જેમનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. પુરનું પાણી ફેલાવાની શક્યતા છે, જોકે આસપાસના વિસ્તારોથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આનાથી ઋષિગંગા પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે. આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરજીની કેટલીક ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ છે.
વિજય રૂપાણીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન પર વાત કરી જણાવ્યુ હતું કે ગુજરાતના પ્રવાસીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરીને પૂરમાં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા અંગેની વાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના CSને જરૂરી મદદ પહોંચાડવા આદેશ કર્યા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાતીઓની સલામતી માટે ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. સૌની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરૂ છું. ઉત્તરાખંડ સરકારે ગુજરાતીઓને મદદની ખાતરી આપી છે.
ઉત્તરાખંડમાં ઋષિ ગંગામાં ડેમ તૂટવાની ઘટના સમયે 50 ગુજરાતીઓ હાજર હતા. તમામ 50 ગુજરાતીઓ સુરક્ષિત છે. ગુજરાતી પ્રવાસીઓનો સામાન હરિદ્વારમાં ફસાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના 50 લોકો હાલ સુરક્ષિત છે.
150થી વધુ લોકો તણાયાની આશંકા
ઉલ્લેખનીય કે, જોશીમઠની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર ધસી પડવાની દુર્ઘટનામાં 100 થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. અગાઉ, સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ઘટનામાં 10,000 થી વધુ લોકોની અસર થાય છે.
PM મોદી તથા અમિત શાહ સ્થિત મુદ્દે કરી રહ્યા છે સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કાર્ય વિશે સંભવિત જાણકારી હાંસલ કરી હતી. તથા એરલિફ્ટ દ્વારા NDRFની ટીમ પણ રવાના કરવાના આદેશ આપ્યા છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરોને બચાવ કામગીરીમાં જોડાવાની કરી અપીલ
ચમોલીમાં ડેમ તૂટવાનો મામલે કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યુ હતું. આ સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યકરોને રાહત કાર્યમાં જોડાવાની અપીલ પણ કરી હતી તથા રાજ્ય સરકાર તમામ અસરગ્રસ્તોને સહાય કરે તેવી વિનંતી પણ કરી હતી. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરેલ.
રાહત કાર્ય પૂરજોશમાં
પ્રાથમિક માહિતી અનુસાર, આ હોનારતથી 10,000 લોકો પ્રભાવિત થયાં હોવાની પણ માહિતી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે નદીના કાંઠે રહેતા હતા. વળી, એવા મજૂરો પણ છે જે ડેમમાં કામ કરતા હતા. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ સ્થળ પર રવાના થઈ છે.
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhandpic.twitter.com/syiokujhns
ઉત્તરાખંડમાં ફરી એક વાર કુદરતી કોપ સર્જાયો છે. રાજ્યના ચમોલીના રેણી ગામ નજીક એક મહાકાય ગ્લેશિયર(હિમશીલા) તૂટી પડતા ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. હિમશીલા તૂટી પડવાને કારણે ચમોલીના જોશીમઠ વિસ્તારની ધોળીગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સૌથી વધારે તબાહી ઋષિગંગા પાવર પ્રોજેક્ટની થઈ હતી.પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 100-150 લોકો લાપત્તા થયા છે તથા અત્યાર સુધી 10 લોકોની લાશ મળી આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.