2013માં કેદારનાથ આફતનું મુખ્ય કારણ ત્યાં બનેલ ચોરાબાડી ઝીલનું ફરી વાર પુનર્જીવિત થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાડિયા ઇન્સ્ટીટ્યૂટનાં વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે ચોરાબાડી ઝીલ ફરી વાર વિકસિત થયું હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. જ્યાર બાદ એક ટીમ ઝીલની તપાસ કરવા માટે રવાના થઇ ચૂકેલ છે.
વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલ કુદરતી આફતે સંપૂર્ણ કેદારઘાટીને તહસ-નહસ કરી દીધી હતી. ત્યાર બાદ સરકાર અને સામાન્ય લોકોએ આગળ વધીને કેદારઘાટીને ફરી વાર ઉભી તો કરી દીધી પરંતુ હવે 6 વર્ષ બાદ ફરી વાર કેદારનાથ પર સંકટનાં વાદળ મંડળાઇ રહેલા છે.
હકીકતમાં, 2013માં કેદારનાથ (Kedarnath) આફતનું મુખ્ય કારણ ત્યાં બનેલ ચોરાબાડી ઝીલ (chorabari lake) નું ફરી વાર પુનર્જીવિત થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાડિયા ઇન્સ્ટીટ્યૂટનાં વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે ચોરાબાડી ઝીલ ફરી વાર વિકસિત થયું હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. જ્યાર બાદ એક ટીમ ઝીલની તપાસ કરવા માટે રવાના થઇ ચૂકેલ છે.
જો કે, વાડિયા ઇન્સ્ટીટ્યૂટનાં વૈજ્ઞાનિકોએ એ પણ જણાવ્યું કે, જો નવી ઝીલ બની છે તો ચોરાબાડી ઝીલ નથી. જે ઝીલનો બનવાનો અમને ખ્યાલ તો છે, તે કેદારનાથ મંદિરથી 5 કિ.મી ઉપર છે જ્યારે ચોરાબાડી ઝીલ કે જેનાંથી કેદારઘાટીમાં વિનાશ થયો હતો કે જે મંદિરથી 2 કિ.મી ઉપર હતી.
વાડિયા ઇનિસ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીનાં ભૂવૈજ્ઞાનિક ડૉ. ડી.પી ડોભાલે જણાવ્યું કે, કેટલાંક દિવસ પહેલા રૂદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને અમને એક જાણકારી આપી હતી કે જે અંતર્ગત કેટલાંક લોકો કેદારનાથથી અંદાજે 5 કિ.મી ઉપર ગયા હતાં ત્યાં ગ્લેશિયરની વચ્ચે એક ઝીલ બન્યા હોવાંની વાત ગણાવી છે. પરંતુ જે ઝીલ જણાવવામાં આવી રહી છે તે ચોરાબાડી ઝીલ નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે કેદારનાથ મંદિરથી ભલે આ નવી ઝીલ 5 કિ.મી ઉપર છે પરંતુ ઝીલ ભલે 2 કિ.મી ઉપર બની ગઇ હોય અથવા તો 5 કિ.મી ખતરો તેટલો જ મોટો છે કે જેટલાં વર્ષ 2013માં હતો. આવનારી આફતને રોકવા માટે ખરેખર રીતે જોઇએ તો અત્યારથી જ કંઇક કરવાની જરૂરિયાત છે.
આ નવી ઝીલને વિશે સૌ પહેલા કેદારનાથ ધામમાં સ્વાસ્થ્ય કેમ્પ ચલાવી રહેલ ડૉક્ટરોને ખ્યાલ આવ્યો હતો. તેઓએ એવો દાવો કર્યો કે કેદારનાથ ધામથી અંદાજે 5 કિ.મી ઉપર ગ્લેશિયરમાં એક ઝીલ બનેલ છે કે જેને આ ડૉક્ટરો ચોરાબાડી ઝીલ હોવાંનો દાવો કરી રહ્યાં હતાં.