બ્રેકિંગ ન્યુઝ
VTV / uttarakhand chief minister pushkar singh dhami orders to rescue 600 family in joshimath
MayurN
Last Updated: 01:15 PM, 7 January 2023
ADVERTISEMENT
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જોશીમઠ શહેરના લગભગ 600 પરિવારોને તાત્કાલિક એવા મકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જેમાં મોટી તિરાડો પડી ગઈ છે અને ડૂબી જવાનો ભય છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અધિકારીઓ સાથે શહેરની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, ધામીએ શુક્રવારે મીડિયાને કહ્યું કે જીવન બચાવવા એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અધિકારીઓને જોશીમઠમાં જર્જરિત મકાનોમાં રહેતા લગભગ 600 પરિવારોને સલામત સ્થળે ખસેડવાનું કહેવામાં આવ્યું છે. પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે જોશીમઠમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાની યોજનાઓ પર પણ કામ ચાલી રહ્યું છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહે બેઠક યોજી
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનો પણ શનિવારે જોશીમઠ જવાનો અને અસરગ્રસ્ત લોકોને મળવાનો અને અધિકારીઓ સાથે બેઠક કરવાનો કાર્યક્રમ છે. ધામીએ કહ્યું કે ગઢવાલના કમિશનર સુશીલ કુમાર અને સચિવ (આપત્તિ વ્યવસ્થાપન) રણજીત કુમાર સિન્હા સાથે નિષ્ણાતોની ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે સ્થળ પર કેમ્પ કરી રહ્યા છે. ધામીએ અધિકારીઓને કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોનું પુનર્વસન ઝડપથી થવું જોઈએ. તેમણે કહ્યું કે સ્થળ પર સારવારની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ અને લોકોને એરલિફ્ટ કરવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ.
ADVERTISEMENT
Joshimath land subsidence | Uttarakhand CM Pushkar conducts a ground inspection of the affected areas. He will also meet the affected families. pic.twitter.com/UX6SXt92MM
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2023
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે
ધામીએ જણાવ્યું હતું કે તાત્કાલિક એક્શન પ્લાનની સાથે લાંબા ગાળાનો એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને બંને પર યોગ્ય દિશામાં કામ શરૂ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ડેન્જર ઝોન, ગટર અને ડ્રેનેજની ટ્રીટમેન્ટના કામને ઝડપી બનાવવા માટે પ્રક્રિયાઓને સરળ બનાવવી જોઈએ. ધામીએ કહ્યું કે આપણા નાગરિકોનું જીવન આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. જોશીમઠને સેક્ટર અને ઝોનમાં વિભાજિત કરી તે મુજબ કાર્યવાહી કરવી જોઈએ. નગરમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત લોકોના કાયમી પુનર્વસન માટે પીપલકોટી, ગૌચર અને અન્ય સ્થળોએ વૈકલ્પિક સ્થળોની ઓળખ કરવી જોઈએ. ધામીએ કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવા જરૂરી છે. સેટેલાઈટ ઈમેજીસ પણ આ માટે ઉપયોગી થઈ શકે છે.
ઘણાં પ્રોજેક્ટને હાલ સ્થગિત કરવામાં આવ્યા
નોંધનીય બાબત એ છે કે જોશીમઠ કે સિંહધાર વોર્ડમાં શુક્રવારે સાંજે એક મંદિર ધરાશાયી થયું હતું, જેના કારણે શહેરના રહેવાસીઓને સતત મોટી દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે સદનસીબે મંદિરની અંદર કોઈ નહોતું. છેલ્લા 15 દિવસમાં મોટી તિરાડો સર્જાયા બાદ તે ખાલી પડી હતી. શહેરમાં સેંકડો મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે જ્યારે કેટલાય ધરાશાયી થઈ ગયા છે. લગભગ 50 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રહેવાસીઓની માંગ પર, ચાર ધામ ઓલ-વેધર રોડ અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જેવા મેગા પ્રોજેક્ટ્સ સંબંધિત તમામ બાંધકામ પ્રવૃત્તિઓ આગામી આદેશો સુધી બંધ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.