ચારધામ યાત્રા પહેલા ઉત્તરાખંડ સરકારે શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે, બહારના રાજ્યોમાંથી આવતા યાત્રિઓ અને શ્રદ્ધાળુઓનો કોવિડ રિપોર્ટ, રસીકરણ પ્રમાણપત્ર અને તેના સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની તપાસની જરૂરિયાત નથી.
ચારધામ યાત્રાને લઈને મોટી રાહત
શ્રદ્ધાળુઓ માટે આવી ખુશખબર
કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે નહીં
કોવિડના વધતા કેસોની વચ્ચે ત્રણ મેથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા પહેલા ઉત્તરાખંડ સરકારે શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે, બહારના રાજ્યોમાંથી આવતા યાત્રિઓ અને શ્રદ્ધાળુઓનો કોવિડ રિપોર્ટ, રસીકરણ પ્રમાણપત્ર અને તેના સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની તપાસની જરૂરિયાત નથી.
રાજ્ય સરકારે જાહેર કર્યા નિર્દેશ
કોવિડ તપાસને લઈને ભ્રમની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નિર્દેશ પર એક બેઠકમાં મુખ્ય સચિવ એસએસ સંધુને નિર્દેશ આપ્યા હતા. મુખ્ય સચિવે ચારધામ યાત્રાના સફળ સંચાલન માટે નિર્દેશ આપ્યા છે કે, આગામી આદેશ સુધી શ્રદ્ધાળુઓને રાજ્યની સરહદ પર થનારી અસુવિધા અને ભીડથી બચાવા માટે કોવિડ ટેસ્ટ, રસીકરણ સર્ટિફિકેટ અથવા અન્ય કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે નહીં.
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત
મુખ્ય સચિવે કહ્યું છે કે, ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડ પર્યટન વિભાગ દ્વારા સંચાલિત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સંધુએ અધિકારીઓને આ સંબંધમાં શાસન તથા પ્રશાસન સ્તર પર સ્થિતિનું સતત અવલોકન કરવા પણ કહ્યું છે. બેઠકમાં સ્વાસ્થ્ય સચિવ અને પર્યટન સચિવ ઉપરાંત ડીજીપી, મંદિર સમિતિના પદાધિકારીઓ તથા યાત્રા સાથે જોડાયેલા જિલ્લા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
3 મેથી શરૂ થઈ રહી છે ચારધામ યાત્રા
આગામી ત્રણ મેથી અક્ષાત્રીજના દિવસથી ઉત્તરકાશી જિલ્લામાં આવેલી ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલતાની સાથે જ આ વર્ષની ચારધામ યાત્રા શરૂ થઈ જશે, રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથના કપાટ છ મે, જ્યારે ચમોલી જિલ્લામાં આવેલા બદરીનાથ મંદિરના કપાટ આઠ મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.