ઉત્તરાખંડમાં ગ્લેશિયર તુટવાથી ભારે તબાહી જોવા મળી. જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળ્યાં.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદ જળપ્રલય જેવી સ્થિતિ
ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા અને ધૌલીગંગા નદીમાં જળપ્રલય
નદીમાં આવેલા જળપ્રલય બાદ 155 લોકો હજુ પણ ગૂમ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નીતિ ઘાટીમાં રેણી ગામમાં ઋષિ ગંગાના ઉદગમ સ્થાન નજીક સવારે 9.15 વાગે ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ઋષિગંગામાં પડી ગયો હતો. જે બાદ નદીમાં બારે પૂર આવ્યું હતું.
Uttarakhand: SDRF begins their rescue operation at the tunnel near Tapovan Dam in Chamoli.
SDRFના જણાવ્યાં મુજબ અલકનંદનું જળસ્તર વધી રહ્યું છે. ટનલવાળા વિસ્તારમાં જ્યાં દોલી ગંગા મળે છે ત્યાં જળસ્તર વધ્યું છે. ચમોલી પોલીસના અધીક્ષક યશવંત સિંહા ચૌહાણના આદેશઅનુસાર પોલીસ દ્વારા નદીના આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોને અલર્ટ કરવામાં આવ્યાં છે.
ઋષિ્ગંગા પ્રોજેક્ટને થયું ભારે નુકસાન
આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા 13 મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. જ્યારે NTPCની તપોવનમાં 500 મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે. બન્ને પરિયોજનામાં કામ કરતા 155થી વધુ શ્રમિક અને સ્થાનિક લોકો ગુમ થયાની આશંકા છે.
10 લોકના મૃતદેહ મળ્યાં
અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સુરંગમાંથી 16 કર્મચારી સહિત 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કુદરતી હોનારતની જાણ થતાં જ ITBP, BRO, NDRF અને SDRFની ટીમને બચાવવામાં જોતરાઈ છે. નૌસેના પણ શોધખોળમાં જોતરાઈ છે.. કુદરતી હોનારતથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.
ચીન સીમા સરહદનો સંપર્ક તૂટયો
મલારીહાઈવે પર પુલ તૂટી જતાં ચીન સીમા ક્ષેત્રનો દેશ સાથે સંપર્ક તૂટી ગયો છે. ભારે હિમવર્ષાના કારણે પડાડો પર હિમસ્ખલન થયા બાદ ગ્લેશિયર તૂટવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે CMએ જણાવ્યું કે ગ્લેશિયર તૂટવાનું સાચુ કારણ જાણવા માટે નિષ્ણાતોની ટીમ તપાસ કરશે. શ્રીનગર ડેમમાં પહેલા જ પાણીનો નિકાર કરી દેવાથી નદીમાં આવેલા પૂરને નિયંત્રીત કરી શકાયું હતું. જો આમ ન થયું હોત તો હરિદ્વાર સુધી અસર થઈ શકતી હતી.
NTPC ટનલ પર બચાવ કાર્ય સ્થગિત
રવિવારની સાંજે NTPCની 900 મીટર લાંબી ટનલ પર બચાવ કાર્ય રોકી દેવામાં આવ્યું. ઉત્તરાખંડ ડીજીપી અશોક કુમારના જણાવ્યાં મુજબ જળસ્તર વધવાના કારણે અહીં બચાવકાર્ય રોકી દેવામાં આવ્યું. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ઘણા લોકો હજુ લાપતા છે.
ટિહરીથી પાણી છોડવાનો નિર્દેશ
મોડી રાતે અલકનંદનું જળસ્તર વધવાની વાત સામે આવી હતી. ગ્લેશિયર તૂટયા પછી તપોવનની પાસે ઝીલ બની ગઇ છે, ત્યારબાદ ટિહરીથી પાણી છોડવાના ડીએમ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યાં. જો કે પાણી છોડી દેવામાં આવ્યું તેની કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.