ઉત્તરાખંડના ચમોલીની નીતી ઘાટીમાં ભયંકર પ્રાકૃતિક આફત ભૂસ્ખલનની સાથે લાખો ટર્ન બરફ નીચે ખસવાનું પરિણામ છે. આવું માનવું છે વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા અમેરિકન જિયોફિજિકલ યુનિયનનું છે. સંસ્થાની એક રિપોર્ટ મુજબ જે રીતે પ્રાકૃતિક આફત આવી ત્યાં 5600 મીટરની ઉંચાઈથી પહાડથી હજારો ટન વજનની મોટી ચટ્ટાનો તથા લાખો ટર્ન બરફ સીધા 3800 મીટર સુધી નીચે પડ્યો
અનેક દેશોના વૈજ્ઞાનિકોની ટીમો તમામ પાસાઓને લઈને અધ્યયન કરી રહી છે
અચાનક જલ પ્રલય આવી જેના કારણે ભારે નુકસાન થયું
પૂરી દુનિયામાં પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે
અનેક દેશોના વૈજ્ઞાનિકોની ટીમો તમામ પાસાઓને લઈને અધ્યયન કરી રહી છે
અનેક વાર હજારો ટન વજનની ભારે ચટ્ટાનો અને લાખો ટન બરફની નીચે ઝડપથી પડવાથી ભયંકર આફત આવી અને ઘણું જાનમાલ તથા આર્થિક નુકશાન થયું. ચમોલીની નીતી ઘાટીમાં આવી આફત પર વાડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી, ઈસરો, ડીઆરડીઓ સહિત દેશના તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોની સાથે અમેરિકન, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત યુરોપના અનેક દેશોના વૈજ્ઞાનિકોની ટીમો તમામ પાસાઓને લઈને અધ્યયન કરી રહી છે.
અચાનક જલ પ્રલય આવી જેના કારણે ભારે નુકસાન થયું
અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજારો ટન વજનની ચટ્ટાનો તથા લાખો ટન બરફના સીધા 2 કિલોમીટર સુધી સતત નીચે પડવાના કારણે આ વિસ્તારનું તાપમાન ઝડપથી બહું વધારે વધી ગયુ અને આ તાપમાનના ચાલતા બરફ ઝડપથી પીગળી. પરિણામ સ્વરૂપ નદીમાં અચાનક જલ પ્રલય આવી જેના કારણે ભારે નુકસાન થયું.
પૂરી દુનિયામાં પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે
ચમોલી આફતને લઈને શોધ કરી રહેલા અમેરિકન જિયોફિજિકલ યુનિયનના અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે રીતે પૂરી દુનિયામાં પર્યાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે અને જળવાયુ પરિવર્તનના તમામ દુષ્પ્રભાવ જોવા મળી રહ્યા છે. તેવામાં ચમોલી જેવી પ્રાકૃતિક આફત ભવિષ્યમાં વધશે. જેના માટે દુનિયાના તમામ દેશોને ન ફક્ત સતર્ક રહેવુ પડશે, બલ્કે આવી આફતોને રોકવા માટે વધારેમાં વધારે મોનિટરિંગની જરુર રહેશે.
અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારનું રેસ્ક્યુ અભિયાન બિરદાવ્યું
અમેરિકન જિયોફિજિકલ યૂનિયનના વૈજ્ઞાનિકોએ આફત બાદ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનને બિરદાવ્યુ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આફત બાદ તત્કાલ કેન્દ્ર તથા રાજ્ય સરકારની સાથે તમામ વૈજ્ઞાનિક સંસ્થાનોના વૈજ્ઞાનિકોએ જે ગતિથી રેસ્ક્યુ અભિયાન ચલાવ્યું છે તે બિરદાવવા યોગ્ય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્ષ 2012માં નેપાળમાં આવેલી આફત બાદ સરકારે અભિયાન શરુ કરવામાં અનેક દિવસો લગાવી દિધા હતા. એટલું જ નહીં વૈજ્ઞાનિકોએ આફત બાદ ગુમ લોકોને સુરક્ષિત બચાવવાની કામના કરી છે.