બદ્રીનાથ હાઈવે પર શનિવારે ટૈયા પુલ નજીક મોટી દુર્ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલ ભાજપના ત્રણ યુવકો અને એક ડ્રાઇવરને અકસ્માત નડ્યો હતો. જોશીમઠથી 15 કિલોમીટર આગળ બદ્રીનાથ તરફ જઇ રહેલી એક ઇનોવા કાર બેકાબૂ થઇને 200 મીટર ઊંડી અલકનંદા નદીમાં ખાબકી. આ દુર્ધટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે અન્ય 2 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.
કાર અલકનંદા ખાડીમાં ખાબકતા એક યુવકનું મોત, એક યુવકને ગંભીર ઇજા
ડ્રાઇવર અને લાપતા 1 યુવકની શોધખોળ ચાલુ
હરિદ્વાર અને ગુજરાતના તીર્થયાત્રી ગઈકાલે ઇનોવા કારથી બદ્રીનાથ ધામ જઇ રહ્યા હતા. આ દરમિયાન ટૈયા પુલ પાસે કાર બેકાબૂ થતા અલકનંદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું અને એક ઇજાગ્રસ્ત થયો હતો, જ્યારે અન્ય બે લોકો લાપતા થયા છે. ડ્રાયવર અને અન્ય એક યુવક લાપતા થતાં શોધખોળ હજુ પણ શરૂ છે. SDRFની ટીમ તેમની શોધખોળમાં લાગી છે.
ત્યારે સૂચના મળતા SDRF અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેસક્યૂ અભિયાન ચલાવ્યું હતું. ખીણમાં ખાબકેલ કાર મળી આવતા હેલીકોપ્ટર તેમજ SDRFની મદદથી બહાર કાઢવામાં આવી હતી. એક ગંભીર ઇજાગ્રસ્તને બહાર કાઢીને 108ની મદદથી નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર જોશીમઠમાં સારવાર માટે ખસેડાયો હતો. જિલ્લા BJP 3 હોદ્દેદાર બદ્રીનાથ દર્શને ગયા હતા.