ચમોલીમાં બદ્રીનાથ હાઈવે પર પાખી ગામ નજીક એક કાર બેકાબૂ થઇને ખીણમાં ખાબકી હતી. કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે.
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર દર્દનાક દુર્ધટના
પિતા-પુત્ર સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
લગ્નપ્રસંગમાં સામેલ થયા બાદ પરત જોશીમઠ જઇ રહ્યા હતા
કાર સવાર દશોલી બ્લૉકના ભીમતલા ગામમાં એક લગ્નપ્રસંગમાં સામેલ થયા બાદ પરત જોશીમઠ જઇ રહ્યા હતા. રવિવાર સવારે ઘટનાની માહિતી મળતા જ જોશીમઠ અને પીપલકોટીથી પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી.
ખીણમાં મૃતદેહોને કાઢવા માટે રેસ્ક્યૂ કર્યું. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભીમતલા ગામના વિનોદ નૈથવાલે જણાવ્યું કે, શનિવાર સવારે જોશીમઠથી ભીમતલા ગામમાં જાન પહોંચી. દિવસભર લગ્નસમારોહ બાદ જાન સાંજે અંદાજિત 7 વાગ્યે જોશીમઠ જવા પરત ફરી.
લગ્નના તમામ વાહનો જોશીમઠ પહોંચી ગયા, પરંતુ આ કાર ન પહોંચી. જેને લોકો આખી રાત શોધવા લાગ્યા. પોલીસને પણ શનિવારે રાત્રે જ સૂચના આપી દેવામાં આવી. રવિવારે સવારે ઘટનાસ્થળની જાણ થઇ શકી.
તેમણે જણાવ્યું કે, દુર્ઘટના સર્જાઇ તે સ્થળે એનએચનો પુલ બની રહ્યો છે. બન્ને તરફથી સુરક્ષાની કોઇ વ્યવસ્થા નથી. જેને લઇને અહીં દુર્ઘટનાની શક્યતાઓ બનેલી રહે છે.