ઉત્તરાખંડના ઉત્તરકાશીના દ્રૌપદીદાંડા-2 પર્વત શિખર પર થયેલા હિમપ્રપાતમાં બે ગુજરાતી યુવકો પણ ફસાયા છે. જેમાંથી એક સલામત છે જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
ઉત્તરકાશીમાં હિમસ્ખલન થતા 19 લોકોના મોત
હિમસ્ખલનમાં બે ગુજરાતી યુવકો પણ ફસાયા
10 ટ્રેકર તાલીમાર્થીઓ હજુ પણ લાપતા છે
ઉત્તરાખંડમાં થયેલા હિમસ્ખલનમાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 10 ટ્રેકર તાલીમાર્થીઓ હજુ પણ લાપતા છે. આ અંગેની માહિતી ખુદ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) એ આપી છે. જોકે તમને જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં બે ગુજરાતી યુવાનો પણ ફસાઇ ગયા છે.
Uttarkashi Avalanche | Till now, 19 bodies have been recovered. Rescue operation is underway by teams of NDRF, SDRF, ITBP, Indian Army, and district administration. I'm also monitoring the rescue operation: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/BiyITrdEMY
ભાવનગરથી ઉતરાખંડ ગયેલા બે ગુજરાતી યુવકો અહીં ફસાઇ ગયા છે. જેમાંથી એક યુવક સલામત છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ યથાવત ચાલી રહી છે. ભાવનગરથી ઉત્તરાખંડ ગયેલા બે યુવકોમાંથી એકનું નામ કલ્પેશ બારૈયા અને અન્ય એકનું નામ અર્જુનસિંહ ગોહિલ છે. જેમાંથી આધેવાડા ગામના કલ્પેશ બારૈયા સહી સલામત છે જ્યારે ચિતરાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની હાલ શોધખોળ યથાવત રીતે ચાલી રહી છે.
CM પુષ્કર ધામીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું
આ ઘટનાને લઇને ઉત્તરાખંડના CM પુષ્કર ધામીએ પણ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, 'ઉત્તર કાશીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન પર મારી સતત નજર છે. NDRF, SDRF, ITBP અને આર્મી તેમજ જિલ્લા તંત્ર કામે લાગેલું છે.'
#UPDATE Uttarkashi avalanche | A total of 19 bodies have been recovered from the crevice. Efforts will be made to bring the bodies to Matli helipad by Advanced Light Helicopter today. Total 30 rescue teams deployed: Uttarakhand DGP Ashok Kumar
ઉત્તરકાશીના દ્રૌપદીદાંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાત થતા પર્વતારોહકો ફસાયા
તમને જણાવી દઇએ કે, ઉત્તરાખંડના ઉત્તરકાશીના ભટવારી બ્લોકમાં સ્થિત દ્રૌપદીદાંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાત થતા નહેરુ પર્વતારોહણ સંસ્થાની ટીમના 29 સભ્યો તેમાં ફસાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના જ મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 10 પર્વતારોહકો હજુ પણ લાપતા છે.
આ ઘટના અંગે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું હતું કે, ઉત્તરકાશી હિમસ્ખલન બાદ અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે અપગ્રેડેડ હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને માતાલી હેલિપેડ સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. આ સાથે શુક્રવારે પણ હવામાન રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ ઉભી કરી શકે છે, કારણ કે ઉત્તરકાશીમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે. જ્યારો 10 ટ્રેકર તાલીમાર્થીઓ હજુ પણ લાપતા છે અને અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે.
Uttarkashi avalanche | Preparations are being made at Matli helipad in Uttarkashi to start the rescue operation
As per Uttarakhand DGP, a total of 19 bodies have been recovered from the crevice. pic.twitter.com/uE7Pb70euR
જણાવી દઈએ કે, ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં ગુરુવારથી હાઈ એલ્ટિટ્યુડ વૉર ફેર સ્કૂલ ગુલમર્ગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. આ ટીમ પણ હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને બચાવી રહી છે. ટીમના 15 લોકો પહેલાથી જ ઉત્તરકાશી પહોંચી ગયા હતા. આ ટીમ સેનાને પણ ગ્લેશિયરમાં રક્ષા કેવી રીતે કરવી તેની તાલીમ આપે છે.
16,000 ફૂટની ઉંચાઈ પર તૈયાર કરાયું હેલિકોપ્ટર લેન્ડિંગ ગ્રાઉન્ડ
હાઈ એલ્ટિટ્યુડ વૉર ફેર સ્કૂલની ટીમની સાથે ITBP, SDRF, NIS અને NDRF બચાવ કામગીરી કરી રહી છે. હવે રેસ્ક્યૂ માટે 16000 ફૂટની ઉંચાઈ પર પર એક અદ્યતન હેલિકોપ્ટર લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ ઘટના મંગળવારે બની હતી. ત્યારથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં બદલાયેલ હવામાન વચ્ચે પહાડો પર હિમવર્ષા થઈ હતી. આ દરમિયાન ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 29 તાલીમાર્થીઓ દ્રૌપદીના દાંડામાં હિમસ્ખલન થતાં બરફમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી માટે સેનાની મદદ માંગી હતી.