ઉત્તરપ્રદેશની યોગી સરકારે લવ જેહાદ વિરૂદ્ધ અધ્યાદેશ લઇને આવી છે, જેમાં દગાથી ધર્મ બદલવાને પર 10 વર્ષ સુધીની જોગવાઇ છે. આ સિવાય ધર્મ પરિવર્તન માટે જિલ્લા અધિકારીને 2 મહિના પહેલા માહિતી આપવી પડશે. આ કાયદો રાજ્યપાલની મંજૂરી બાદ લાગુ થશે.
લવ જેહાદ સાથે ધર્મ પરિવર્તન વટહુકમ પાસ
રાજ્યપાલની મંજૂરી બાદ લાગુ થશે કાયદો
અલગ અલગ મામલામાં 10 વર્ષની સજાની જોગવાઇ
અધ્યાદેશમાં ધર્મ પરિવર્તન માટે ઇચ્છુક હોવા પર સૂચિત ડ્રાફ્ટ પર જિલ્લા અધિકારીને 2 મહિના પહેલા સુચના આપવી પડશે, આના ઉલ્લંઘન કરવા પર 6 મહિનાથી 3 મહિના સુધીની સજા અને 10 હજાર રૂપિયાથી ઓછો દંડ હોવાની જોગવાઇ છે.
ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી સિદ્ધાર્થનાથસિંહે કહ્યું કે, ઉત્તરપ્રદેશ કેબિનેટ ઉત્તરપ્રદેશ વિધિ વિરૂદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિબંધ વટહુકમ 2020 લઇને આવી છે, જે ઉત્તરપ્રદેશમાં કાયદો-વ્યવસ્થા સામાન્ય રાખવા માટે મહિલાઓને ન્યાય અપાવવા માટે જરૂરી છે.
તેમણે કહ્યું કે, ગત દિવસોમાં 100થી વધુ ઘટનાઓ સામે આવી હતી, જેમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. આની અંદર છલ-કપટ, બળથી ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.
અધ્યાદેશમાં ધર્મ પરિવર્તન માટે 15,00 રૂપિયાના દંડની સાથે 1-5 વર્ષની જેલની સજાની જોગવાઇ છે. જો SC-ST સમાજની સગીરાઓ અને મહિલાઓ સાથે એવું થાય છે તો 25,000 રૂપિયા દંડની સાથે 3-10 વર્ષની જેલ થશે.
યોગી સરકારના મંત્રી મોહસિન રજાએ ગત દિવસોમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં હવે આ નહીં ચાલશે કે મિશનની જેમ યુવતિઓને ફોસલાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવે. આ તે જેહાદીઓને કડક સંદેશ છે, જે આની આડમાં ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. એવા લોકોને જેલમાં નાખવાની સમગ્ર તૈયારી છે.