રિઝવીએ ઇસ્લામને અલવિદા કહીને હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો
વકી રશીદના વિવાદીત નિવેદનને લઇને વીડિયો વાયરલ થવાથી હડકંપ મચી ગયો છે. વકી રશીદે કહ્યું કે, વસીમ રીઝવી ષડયંત્ર હેઠળ હિન્દુ-મુસ્લિમ હોબાળો કરાવવા માંગે છે. તેમની તપાસ કરાવવી ખુબ જરૂરી છે.
મહાનગર અધ્યક્ષે કહ્યું કે, વસીમ રિઝવી વિરૂદ્ધ કેટલીક જગ્યાએ ગુનાકીય કેસ પણ દાખલ છે. તેનાથી બચવા માટે વિવાદીત નિવેદન થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, જે શખ્સ ઇસ્લામનો ન થયો તે હિન્દુ ધર્મનો શું થશે.
મહાનગર અધ્યક્ષે કહ્યું કે, વસીમના પાકિસ્તાની એજન્ટ હોવાની પણ શંકા છે, તેવામાં સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આ કોઈ નવી ચાલ છે. ચૂંટણીને હિન્દુ સામે મુસ્લિમ બનાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ મામલે વીડિયો વાયરલ થયા બાદ સંગઠનોમાં હડકંપ મચી ગયો છે.
શું હતો મામલો?
જોકે, શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ કેટલાક દિવસો પહેલા ઇસ્લામને અલવિદા કહીને હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો. તેના સાથે જ તેમણે પોતાનું નામ લખ્યું છે- જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી. સોમવારે ગાઝિયાબાદમાં યતિ નરસિંહાનંદ સરસ્વતીને સનાતન ધર્મમાં પોતાની વાપસી કરાવી. આ સમયે વસીમ રિઝવીએ કહ્યું હતું કે, મને ઇસ્લામથી બહાર કરી દેવામાં આવ્યો છે, મારા માથે દર શુક્રવારે ઇનામ વધારી દેવામાં આવે છે. તેવામાં હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.