ઉત્તર પ્રદેશમાં બંગલાને લઇને ઘણા દિવસોથી ચાલી રહેલો વિવાદ ખૂબ ચર્ચામાં હતો અને હવે એમાં નવું રાજકારણ ટ્વિસ્ટ આવ્યું છે. રાજ્ય સંપત્તિ વિભાગે સમાજવાદી સેક્યુલર મોર્ચાના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવને નવો બંગ્લો ફાળવ્યો છે જેમાં ક્યારેક બસપા ચીફ માયાવતીની ઓફિસ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ માયાવતી આ બંગ્લાથી નિકળીને પોતાના બંગ્લામાં શિફ્ટ થઇ ગઇ હતી. એવામાં શિવપાલ અને માયાવતી પડોશી પણ થઇ ગયા છે.
જો કે રાજ્ય સંપત્તિ વિભાગના આ નિર્ણયને કેટલાક લોકો રાજકારણથી પણ જોડતા જોવા મળી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં માયાવતી અને અખિલેશ ભાજપની વિરુદ્ધ મહાગઠબંધન બનાવવા જઇ રહી છે. એવામાં શિવપાલ પર પ્રશાસનની આ મહેરબાનીના ઘણા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે.
માયાવતીને 2011માં ફાળવવામાં આવેલા આ એલબીએસ 6 સરકારી બંગ્લાને લઇને વિવાદ થયો હતો. સરકારના રાજ્ય સંપત્તિ વ્ભાગે બંગ્લાની ફાળવણી અને નિરસ્તીકરણના જૂના રેકોર્ડ ગુમ થઇ ગયા હતા. જ્યારે દસ્તાવેજની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે વિભાગની પાસે એમનો કોઇ રેકોર્જ નથી.