યુપીમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે રાજ્ય સરકારે પણ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો ઘટાડી રહ્યા છે.
યુપીમાં કોરોનાના કેસો ઘટતા પ્રતિબંધો હટવા લાગ્યા
નાઈટ કર્ફ્યૂ ખતમ કર્યો
શાળાઓ પણ ખોલી દેવામાં આવી
યુપીમાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે રાજ્ય સરકારે પણ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો ઘટાડી રહ્યા છે. આ જ ક્રમમાં હવે ઉત્તર પ્રદેશની યોગી સરકારે નાઈટ કર્ફ્યૂ ખતમ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, આ સંબંધમાં અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ આદેશ જાહેર કરી દીધા છે.
યુપીમાં શાળાઓ પણ ખુલી ગઈ
આપને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં હવે કોરોનાના કેસોમાં ભારે ઘટાડો આવ્યો છે. શનિવારે ફક્ત 22,270 કેસ આવ્યા હતા. ત્યારે આવા સમયે અલગ અલગ રાજ્ય સરકારોએ પણ પોતાને ત્યાં કોવિડને લઈને લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ આપવાનું શરૂ કરી દીધું છે. જો યુપીની વાત કરીએ તો, કોવિડ કેસ ઓછા થવાના કારણે રાજ્યમાં શાળાઓ પણ ખોલી દેવામાં આવી છે.
Government of Uttar Pradesh lifts the #COVID19 induced night curfew following a drop in the number of COVID cases. pic.twitter.com/2y4FoUM3xc
આપને જણાવી દઈએ કે, હાલમાં જ યુપી સરકારે કોરોના કેસોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જે મુજબ ઉત્તર પ્રદેશમાં 14 ફેબ્રુઆરીથી તમામ શાળાઓ ખોલી દેવામાં આવી છે. જો કે, વિદ્યાર્થીઓએ કોરોનાનું નિયમનું પાલન કરવું પડશે.
રેસ્ટોરંટ, હોટલ, સિનેમા ખુલ્યા
અધિક મુખ્ય સચિવ ગૃહે કોરોનાને લઈને નવા દિશા નિર્દેશો જાહેર કર્યા હતા. તે મુજબ રેસ્ટોરંટ, હોટલ, સિનેમા હોલની સાથે જ સંપૂર્ણ ક્ષમતા સાથે જિમ સેન્ટર પણ પહેલાની માફક ખોલવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા હતા. જો કે, હાલમાં સ્વીમીંગ પુલ, વોટર પાર્ક બંધ રહેશે.