ઉત્તર પ્રદેશમાં આજથી વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે, વિપક્ષે ફુગાવા અને કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરવાની જાહેરાત કરી છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં આજથી ચોમાસું સત્ર
વિપક્ષ નેતાઓએ મોંધવારી મુદ્દે પગપાળા કુચ કરી
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી
ઉત્તર પ્રદેશમાં આજથી વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે. 23 સપ્ટેમ્બર સુધી ચાલનારી 18મી વિધાનસભાના બીજા સત્રને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે રવિવારે અધ્યક્ષ સતીશ મહાનાની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક મળી હતી. આમાં, મહાનાએ તમામ પક્ષોને ગૃહને સરળતાથી ચલાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી, પરંતુ વિપક્ષે ફુગાવા અને કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરવાની જાહેરાત કરી છે.
સપાના ધારાસભ્યો રસ્તા પર ઉતર્યા
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે સપા કાર્યાલયથી વિધાનભવન સુધી પગપાળા કૂચ કરી રહ્યા છે. માર્ચ દરમિયાન માર્ગ બદલવા પર સપાના વિધાયકોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ પહેલાથી નક્કી કરેલા રૂટ પર જવાની માંગ કરી રહ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે જો તેને રોકવા જ હતા તો કાલે મંજૂરી કેમ આપી? પ્રશાસનનું કહેવું છે કે, જીપીઓને બદલે વીવીઆઈપી ગેસ્ટ હાઉસ અને એનેક્સી થઈને વિધાનસભામાં જાઓ. તેના પર અખિલેશ યાદવ અને સપાના ધારાસભ્યો રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. ધારાસભ્યો અને કાર્યકરો નારા અને બેનરો સાથે રસ્તાઓમાં ઉતરી આવ્યા છે.
સરકાર સામે વિરોધ કરવા પદયાત્રાનું આયોજન
સપાએ વધતી મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ અને કાયદો વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકાર સામે વિરોધ કરવા પદયાત્રાનું આયોજન કર્યું છે. પદયાત્રા માટે વિક્રમાદિત્ય માર્ગને છાવણી બનાવવામાં આવી છે. વીવીઆઈપી ચોકથી એસપી ઓફિસ સુધી બેરિકેડિંગ કરીને મોટી સંખ્યામાં દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ રૂટ પર સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
Uttar Pradesh | Heavy security deployment outside Samajwadi Party (SP) office in Lucknow.
The party will hold a march from the party office to the State Assembly today, against the State Government. pic.twitter.com/3gwku0BCZe
પોલીસે કહ્યું: કોઈ પ્રકારની પરમીશન માંગવામાં નથી આવી
લખનૌના જોઈન્ટ કમિશનર લો એન્ડ ઓર્ડર પીયૂષ મોરડિયાએ જણાવ્યું કે પદયાત્રા વિશે માહિતી મળી હતી. આ માટે પૂર્વ પરવાનગી માંગવામાં આવી ન હતી. અમે તેમને એક માર્ગ નક્કી કરવાનું જણાવ્યું હતું. જેના કારણે ટ્રાફિક અને અન્ય સમસ્યા રહે નહી. તેણે તે સ્વીકાર્યું નહીં. આવી સ્થિતિમાં તેમને રોકવા સિવાય કોઈ બીજો રસ્તો નથી
#WATCH | Lucknow, Uttar Pradesh: Samajwadi Party (SP) chief Akhilesh Yadav and other leaders & workers of the party begin their march to the State Assembly, from their party office, against the State Government. pic.twitter.com/moAM7ztXhW
સરકાર ચર્ચા માટે તૈયાર છે
સમાજવાદી પાર્ટીની પદયાત્રા શરૂ થતાની સાથે જ શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, માર્ચના નામથી વિરોધ કરી રહેલી સમાજવાદી પાર્ટી જનતાના હિત સાથે જોડાયેલી નથી. જો તેમણે જનતા સાથે સંબંધિત કોઈ મુદ્દા પર ચર્ચા કરવી હોય તો તે ગૃહમાં થવી જોઈએ, જે કાર્યવાહીનો ભાગ બનવું જોઈએ. સરકાર ચર્ચા માટે તૈયાર છે.
યોગી આદિત્યનાથે ચર્ચા કરવા કહ્યું
બીજી તરફ વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. આ પહેલા મીડિયાને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે અમે બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. લોકોને આ સત્રથી ઘણી અપેક્ષાઓ છે. સત્રના પ્રથમ દિવસે તમામ સભ્યોએ પૂર્વ ધારાસભ્ય અરવિંદ ગિરિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ધરણા સ્થળ પર જ સપાએ સંવેદના વ્યક્ત કરી હતી.