ઉમેશપાલ હત્યા કેસમાં અતિક અહેમદ અને તેનો ભાઈ અશરફ આરોપી છે. અતિક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અશરફ બરેલીની જેલમાં બંધ છે. ત્યારે આ કેસ મામલે ઉત્તર પ્રદેશની પોલીસ અમદાવાદ પહોંચી છે. અમદાવાદની સાબરમતી જેલથી અતિક અહેમદને UP લઈ જવા 45 પોલીસ જવાનોની ટીમ તૈયાર છે. અતિકને 6 ગાડીઓના કાફલા સાથે બાય રોડ UP લઈ જવાશે. જોકે, ગેંગસ્ટર અતિક સાબરમતી જેલમાંથી બહાર નીકળવા માંગતો નથી, તેને પોલીસ એન્કાઉન્ટરનો ભય સતાવી રહ્યો હોવાથી આનાકાની કરી રહ્યો છે. કોર્ટના આદેશ બાદ પણ અતિક ઉત્તરપ્રદેશ જવા માટે આનાકાની કરી રહ્યો છે, જેલ DIG એ.એમ.ચૌહાણ સાબરમતી જેલ પહોંચ્યા છે.
અતિકે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
ઉમેશપાલ હત્યાકાંડ મામલે અતિક અહેમદે પોતાની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અતિક અહેમદે સુપ્રીમમાં અરજી કરીને કહ્યું હતું કે, 'યુપીમાં દાખલ કેસની સુનાવણી માટે તેને ગુજરાતથી બહાર ન લઈ જવામાં આવે, તેના જીવને જોખમ છે.' અહેમદના વકીલ હનીફ ખાને સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી હતી. તેમાં અમદાવાદ જેલથી યુપીની જેલમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, યુપી સરકારના કેટલાક મંત્રીઓના નિવેદનથી એવું લાગે છે કે તેનું ફેક એન્કાઉન્ટર થઈ શકે છે.
#WATCH | Umesh Pal murder case: Bulldozer demolishes properties of accused, in Prayagraj, who are also close aides of gangster Atiq Ahmed. pic.twitter.com/wQG6ff6WwK
અતિક અહમદના નજીકીનાં ઘરે ચાલ્યો બુલડોઝર
યુપી પોલીસ પ્રશાસને અતિક અહમદનાં નજીકી ઝફર અહમદનાં ઘર પર કાર્યવાહીનાં ભાગરૂપે બુલડોઝર ચલાવ્યું હતું. પ્રયાગરાજ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની હાજરીમાં સંપત્તિઓને તોડવામાં આવી હતી. ઝફર અહમદ પણ આ મામલામાં આરોપી છે.
ઉમેશપાલ અને રાજુ પાલ હત્યાકાંડ
ઉમેશપાલ બહુજન સમાજ પાર્ટી ધારાસભ્ય રાજુપાલના હત્યાકાંડનાં મુખ્ય સાક્ષી હતાં. આ ઘટનામાં ઉમેશને સુરક્ષા પ્રદાન કરનારાં 2 કોનસ્ટેબલોમાંથી એક સંદીપ નિષાદને પણ મારી નાખવામાં આવ્યા હતા. રાજુ પાલની હત્યામાં અતિક અહમદ અને તેનો ભાઈ આરોપી છે.