કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા લોકો માટે આ બિમારીથી બચવા રસીનો માત્ર એક ડોઝ પુરતો છે.
આ લોકોને રસીનો માત્ર એક ડોઝ પુરતો છે
રસીનો પહેલો ડોઝ લીધાના 10 દિવસ બાદ એન્ટીબોડી બની જાય
સ્વસ્થ લોકોમાં એન્ટીબોડી બનવામાં 3થી 4 અઠવાડિયાનો સમય લાગે
આ લોકોને રસીનો માત્ર એક ડોઝ પુરતો છે
કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને દાવો કર્યો છે કે કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા લોકો માટે આ બિમારીથી બચવા રસીનો માત્ર એક ડોઝ પુરતો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવૈક્સીનની રસીને મંજૂરી મળી ગઈ છે. કોરોનાથી બચવા માટે બે ડોઝની જરુર છે.
રસીનો પહેલો ડોઝ લીધાના 10 દિવસ બાદ એન્ટીબોડી બની જાય
બીએચયૂના જૂલૉજી વિભાગના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે અને ન્યૂરોલોજી વિભાગના પ્રોફેસર વિજય નાથ મિશ્રાની ટીમે પોતાના અધ્યયનના આધાર પર દાવો કર્યો છે કે કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂકેલા લોકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ લીધાના 10 દિવસ બાદ એન્ટીબોડી બની જાય છે.
સ્વસ્થ લોકોમાં એન્ટીબોડી બનવામાં 3થી 4 અઠવાડિયાનો સમય લાગે
તેમનો દાવો છે કે એવા લોકો માટે રસીનો એક ડોઝ પુરતો છે. પ્રોફેસર ચૌબેએ જણાવ્યુ કે 20 લોકો પર કરવામાં આવેલા અધ્યયનમાં એ ખબર પડે છે કે સંક્રમણથી સાજા થયેલા લોકોમાં એન્ટી બોડી ઝડપથી બને છે. ત્યારે સ્વસ્થ લોકોમાં એન્ટીબોડી બનવામાં 3થી 4 અઠવાડિયાનો સમય લાગે છે.
રસી મિક્સિંગ પર પણ એક સ્ટડી કરવામાં આવી રહી છે
ત્યારે કોરોનાની રસીની અછતના સમાચારોની વચ્ચે સિંગલ શૉટ રસીકરણ પર વિચાર કરી શકાય છે. કોવિડ 19 રસી બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડને ભવિષ્યમાં સિંગલ શૉટ રસી બનાવી શકાય છે. હાલમાં દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્નેના 2 ડોઝ અપાઈ રહ્યા છે. આ ઉપરાંત રસી મિક્સિંગ પર પણ એક સ્ટડી કરવામાં આવી રહી છે.