ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્ય પ્રદેશમાં ખાખી વર્દીનો ડર જોવા મળે છે. છતરપુર જિલ્લામાં ખૂંખાર ગુનેગારો હાથમાં બેનરો લઇને એસપી કચેરીએ પહોંચ્યાં અને પોલીસ પાસે રહેમની ગુહાર લગાવી.
મધ્ય પ્રદેશમાં ખાખી વર્દીનો ડર જોવા મળ્યો
ખૂંખાર ગુનેગારો હાથમાં બેનરો લઇ એસપી કચેરીએ ગયા
એસપી શર્માએ દરેક ગુનેગારો સાથે વન ટુ વન વાતચીત કરી
ખૂંખાર ગુનેગારો એસપી કચેરીએ પહોંચ્યા
ખરેખર, આ બધા એવા ખૂંખાર ગુનેગારો છે, જેની પર લૂંટ, હત્યા, લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુના શહેરના કોતવાલી સિવાય જિલ્લાના અન્ય પોલીસે સ્ટેશનોમાં નોંધાયેલા છે. એસપી કચેરીએ પહોંચેલા દરેક ગુનેગારોના હાથમાં એક-એક બેનર હતુ. જેના પર લખેલુ હતુ. ગુંડાગર્દી કરવુ પાપ છે, હવે હું ગુનો નહીં કરું અને ગુનો કરવાથી દૂર રહો જેવા સ્લોગન લખેલા હતા. એસપી કચેરીએ પહોંચેલા દરેક ગુનેગારો સાથે છતરપુર એસપી સચિન શર્માએ વન ટુ વન વાતચીત કરી અને દરેક ગુનેગારોને સલાહ આપી કે જો તમારામાંથી કોઈ પણ ગુનેગાર કોઈ પણ પ્રકારનો ગુનો કરશે તો તેના માટે ગંભીર પરિણામ ભોગવવા પડશે.
એસપીનું નિવેદન, ગુનેગારો પ્રત્યે તેઓ ખૂબ કડક
ઉલ્લેખનીય છે કે, છતરપુર એસપી સચિન શર્મા અંગે કહેવામાં આવે છે કે ગુનેગારો પ્રત્યે તેઓ ખૂબ કડક છે. અત્યાર સુધી ગુનેગારો પર કાર્યવાહી કરીને તેમણે ઘણા મકાનો જમીનદોસ્ત કરાવ્યાં છે. તો ઘણા ગુનેગારોને જિલ્લામાંથી સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું છે. એસપી શર્માએ જાણકારી આપતા જણાવ્યું છે કે 5 વર્ષથી જેલની અંદર બંધ એવા તમામ કેદીઓનું અમે ડોક્યુમેન્ટેશન કર્યુ છે, જે હત્યા, બળાત્કાર, લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસોમાં જેલની અંદર બંધ હતા.