યુપીના નોઈડામાં કોરોનાના કેસમાં વધારો થતા 31 મે સુધી 144મી કલમ લાગુ કરી દેવાઇ છે.
યુપીના નોઈડામાં કોરોનાના કેસમાં વધારો
ગૌતમ બુદ્ધ નગરમાં 31 મે સુધી 144મી કલમ લાગુ
કોઈ પણ જાહેર સ્થળોએ પૂજા કરવાની મંજૂરી નહીં અપાય
છેલ્લાં કેટલાંય દિવસોથી દેશમાં સતત કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે દિલ્હી એનસીઆર (Delhi NCR) ની નજીક આવેલા યુપીના નોઈડા (Noida) અને ગાઝિયાબાદ (Ghaziabad) માં કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી સરકાર દ્વારા નોઈડામાં એટલે કે યુપીના ગૌતમ બુદ્ધ નગર (Gautam Buddh Nagar) માં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દેવાઇ છે. જો કે, સરકારે નોઈડામાં માસ્ક અને ઘણા નિયમોની સખતાઇ પહેલેથી જ વધારી દેવાઇ છે.
Uttar Pradesh | Section 144 imposed in Gautam Budh Nagar till May 31st amid rise in Covid cases.
છેલ્લાં કેટલાંક દિવસોથી યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે તેને ધ્યાનમાં રાખતા સરકારે નોઇડા, ગાઝિયાબાદ અને લખનઉ સહિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત બનાવ્યા હતા. જો કે, પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ન થતા એકવાર ફરી સરકારે કડક નિર્ણય લીધો છે. સરકારે નોઈડામાં 31 મે સુધી કલમ 144 લાગુ કરી દીધી છે.
જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું?
ગૌતમબુદ્ધ નગરના પોલીસ કમિશનરે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના ધરણા અને ભૂખ હડતાળ કરવામાં આવશે નહીં. કોઈ પણ જાહેર સ્થળોએ પૂજા કે પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. તેમજ શાળાઓમાં પણ પરીક્ષા દરમિયાન કોવિડ -19 ની માર્ગદર્શિકાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. બાળકોમાં સામાજિક અંતર લાગુ કરવામાં આવશે.
જુઓ DMએ શું અપીલ કરી?
જણાવી દઈએ કે, નોઈડામાં છેલ્લાં ઘણા દિવસોથી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં ઘણી સ્કૂલના બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. ભૂતકાળમાં પણ નોઈડામાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ડીએમએ એડવાઈઝરી જારી કરીને લોકોને ગભરાવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જિલ્લામાં 15થી 18 વર્ષની વયજૂથના 84 ટકા બાળકોને રસી આપવામાં આવી છે. 12થી 14 વર્ષની વયના 49 ટકા બાળકોને રસી આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી ઉપરના દરેકને રસી આપવામાં આવી છે.